April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાની કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલનું જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. ગગન ચનાનાજીએ કરેલું લોકાર્પણ

સી.એસ.આર. અંતર્ગત રૂા. 28 લાખના ખર્ચથી જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે કલસર ગ્રામ પંચાયત માટે હોલનું કરેલું નિર્માણઃ કલસર ગ્રામ પંચાયતના સરપંચ મનોજ પટેલે માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલ કલસર ગ્રામ પંચાયત ખાતે જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે પોતાના સી.એસ.આર. (કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સીબિલીટી) ફંડ અંતર્ગત કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરી ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત વિસ્‍તારના લોકોની મહત્‍વની સમસ્‍યાનો ઉકેલ લાવવામાં આવ્‍યો છે.
કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલની સુવિધા નહીં હોવાથી પંચાયતની બેઠક કે ગ્રામસભા તથા અન્‍ય બીજા સાંસ્‍કૃતિક કાર્યક્રમો માટે શાળાના વર્ગખંડોનો સહારો લેવા પડતો હતો. પરંતુ કલસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનોજભાઈ પટેલની ભલામણથી જેક્‍સન લિમિટેડે પોતાની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત રૂા. 28 લાખના ખર્ચે કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે નિર્માણ કરેલ કોમ્‍યુનિટી હોલનું આજે લોકાર્પણ એમ.ડી. શ્રી ગગન ચનાનાજી હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં સરપંચ શ્રીમનોજભાઈ પટેલે ઉપસ્‍થિત રહી કંપનીનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે કલસર ગ્રામ પંચાયત વિસ્‍તારમાં કાર્યરત જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટ હેડ શ્રી વિનોય, સુશ્રી વૈશાલીબેન, ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ, કિકરલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનોજભાઈ, કલસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી અમિતભાઈ તથા કલસર ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

Leave a Comment