ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડના કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીમાં આજે સોમવારે સવારે પાણીમાં તરતી અજાણીસ્ત્રીની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વલસાડ કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદીના પુલ ઉપરથી સવારે પસાર થતા વાહન ચાલકોએ નદીના પાણીમાંસ્ત્રીની લાશ તરતી જોઈ હતી. તેથી પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચીને મૃતસ્ત્રીની લાશ બહાર કાઢી હતી. મૃતક અજાણી હોવાથી પોલીસે કબજો મેળવીને લાશની ઓળખ કરવા વધુ પૂછપરછ શરૂ કરી હતી. તેમજ ફોટો પાડી નજીકના વિસ્તારમાં લોકોને ઓળખ માટે પહોંચાડયા હતા. લાશને પી.એમ. માટે મોકલી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ પોલીસને અજાણીસ્ત્રીની ઓળખ અનેજાણકારી મળશે તેવું પોલીસે જણાવ્યું હતું.

