June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

ખાનગી જમીન માલિક પ્રદીપ ગુદરાસિયાના ફાયદા માટે ખતલવાડ પંચાયતે ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સર્વનું મતે પસાર કરેલા ઠરાવમાં રસ્‍તાની જમીનની પહોળાઈ અને લંબાઈ વધારવા માટે આપેલી મંજૂરી સત્તાની ઉપરવટ હોવાની શકયતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ તાલુકાની ખતલવાડ પંચાયત દ્વારા ખાનગી જમીન માલિકને ફાયદો કરાવવા માટે સવર્કનુમતે પસાર કરવામાં આવેલો ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સામે ગ્રામજનોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.ખાનગી જમીનને એનએ ની પ્રક્રિયા માટે 15 મીટર પહોળો અને 310 મીટર લંબાઈ ધરાવતા રસ્‍તાની આવશ્‍યકતા પડતા જમીન માલિક પ્રદીપભાઈ ગુદરાસિયાએ પંચાયત પાસે રસ્‍તા ઉપર કામગીરી માટે પરવાનગી માંગી હતી અને પંચાયતે આ અરજીના અનુસંધાનમાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, ખતલવાડ વંકાસ મુખ્‍ય રસ્‍તાથી આ ખાનગી જમીન સુધી પહોંચવા માટે સરકારી જમીન તેમજ દેડક તળાવની અને વધુ એક અન્‍ય ખાનગી માલિકની જમીનનો સમાવેશ થાય છે. જે માર્ગ માટે પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે અહીં પગદંડી માર્ગ છે અને જે માર્ગ પંચાયતના ચોપડે નોંધાયેલ છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. આ ઉપરાંત આ માર્ગ સરકારી જમીન અને તળાવની પાડ ઉપરથી પસાર થાય છે તેમજ અન્‍ય એક ખાનગી માલિકીની જમીન આવેલી છે. આ સમગ્ર પ્રકરણ સત્તાની ઉપરવટ હોવાનું આંકલન કરવામાં આવી રહ્યું છે. જેની ઝીણવટપૂર્વક તપાસની આવશ્‍યકતા જણાઈ રહી છે.
—-

Related posts

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment