February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન નિષ્‍ણાંત તબીબો અલગ અલગ વારે સેવા આપશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી હાઈવે સલવાવમાં આવેલ શ્રી બાપા સિતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આશ્રમમાં દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન દર્દીઓને તપાસવામાં આવશે તેમજ અલગ અલગ વારે નિષ્‍ણાંત તબીબો નિઃશુલ્‍ક સેવા આપશે.
સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં કાર્યરત કરાયેલ નિઃશુલ્‍ક દવાખાનાનો સમય બપોરે 2 થી 4 કલાક દરમિયાન છે. નિષ્‍ણાંત તબીબો જે સેવા આપનાર છે તેમાં આર્થોપેડીક (હાડકા નિષ્‍ણાંત) મહિનામાં 2 વખત પીડિયાટ્રિશન (બાળકોના નિષ્‍ણાંત)અઠવાડીયામાં બે વખત, જનરલ સર્જન પ્રત્‍યેક શનિવારે તથા ગાયનેકોલોજી (ષાી રોગ નિષ્‍ણાંત) મહિનાના દરેક ગુરૂવારે, ગેસ્‍ટે એન્‍ટ્રોલોજી (પેટના રોગ નિષ્‍ણાંત) મહિનામાં બીજા બુધવારે, ડેન્‍ટલ સર્જન (દાંત નિષ્‍ણાંત) સોમ, બુધ અને શનિવાર તથા આંખના નિષ્‍ણાંત અઠવાડીયામાં એકવાર સેવા આપશે. સેવા લેવા ઈચ્‍છનાર દર્દીઓએ નિષ્‍ણાંતો માટે ડોક્‍ટરનો દિવસ અને સમય અગાઉથી મોબાઈલથી સંપર્ક કરવો પડશે. મો.નં.99788 77945 તથા 98790 24750 છે.

Related posts

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment