April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન નિષ્‍ણાંત તબીબો અલગ અલગ વારે સેવા આપશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી હાઈવે સલવાવમાં આવેલ શ્રી બાપા સિતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આશ્રમમાં દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન દર્દીઓને તપાસવામાં આવશે તેમજ અલગ અલગ વારે નિષ્‍ણાંત તબીબો નિઃશુલ્‍ક સેવા આપશે.
સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં કાર્યરત કરાયેલ નિઃશુલ્‍ક દવાખાનાનો સમય બપોરે 2 થી 4 કલાક દરમિયાન છે. નિષ્‍ણાંત તબીબો જે સેવા આપનાર છે તેમાં આર્થોપેડીક (હાડકા નિષ્‍ણાંત) મહિનામાં 2 વખત પીડિયાટ્રિશન (બાળકોના નિષ્‍ણાંત)અઠવાડીયામાં બે વખત, જનરલ સર્જન પ્રત્‍યેક શનિવારે તથા ગાયનેકોલોજી (ષાી રોગ નિષ્‍ણાંત) મહિનાના દરેક ગુરૂવારે, ગેસ્‍ટે એન્‍ટ્રોલોજી (પેટના રોગ નિષ્‍ણાંત) મહિનામાં બીજા બુધવારે, ડેન્‍ટલ સર્જન (દાંત નિષ્‍ણાંત) સોમ, બુધ અને શનિવાર તથા આંખના નિષ્‍ણાંત અઠવાડીયામાં એકવાર સેવા આપશે. સેવા લેવા ઈચ્‍છનાર દર્દીઓએ નિષ્‍ણાંતો માટે ડોક્‍ટરનો દિવસ અને સમય અગાઉથી મોબાઈલથી સંપર્ક કરવો પડશે. મો.નં.99788 77945 તથા 98790 24750 છે.

Related posts

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખનો શપથવિધી સમારોહ યોજાયો

vartmanpravah

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment