August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

નાની દમણના દિલીપનગર ડેવલપમેન્‍ટ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી રેલી સ્‍વરૂપે પહોંચી જિલ્લા કલેક્‍ટરને આવેદન પત્ર સુપ્રત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : હિન્‍દુ હિત રક્ષા સમિતિ-દમણ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં આવતી કાલ તા.4થી ડિસેમ્‍બર, બુધવારના રોજ નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી ધરણાં-વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવશે.
હિન્‍દુ હિત રક્ષા સમિતિએ આવતી કાલે ધરણાં-પ્રદર્શન રેલીમાં વધુમાં વધુ લોકોને ઉપસ્‍થિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ રેલીને સફળ બનાવવા માટે હિન્‍દુ હિત રક્ષા સમિતિ લગાતાર મહેનત કરી રહી છે.
અત્રે યાદ રહે કે, બાંગ્‍લાદેશમાં લઘુમતિ એવા હિન્‍દુઓ ઉપર ત્‍યાંના ઉપદ્રવીઓ દ્વારા અત્‍યાચાર હૂમલાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વિરૂદ્ધ ભારતના હિન્‍દુ સમુદાયમાં આક્રોશ છે. જેને પ્રગટ કરવા માટે હિન્‍દુ હિત રક્ષક સમિતિ દ્વારા દેશવ્‍યાપીધરણાં-પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Related posts

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

Leave a Comment