April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

નાની દમણના દિલીપનગર ડેવલપમેન્‍ટ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી રેલી સ્‍વરૂપે પહોંચી જિલ્લા કલેક્‍ટરને આવેદન પત્ર સુપ્રત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : હિન્‍દુ હિત રક્ષા સમિતિ-દમણ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં આવતી કાલ તા.4થી ડિસેમ્‍બર, બુધવારના રોજ નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી ધરણાં-વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવશે.
હિન્‍દુ હિત રક્ષા સમિતિએ આવતી કાલે ધરણાં-પ્રદર્શન રેલીમાં વધુમાં વધુ લોકોને ઉપસ્‍થિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ રેલીને સફળ બનાવવા માટે હિન્‍દુ હિત રક્ષા સમિતિ લગાતાર મહેનત કરી રહી છે.
અત્રે યાદ રહે કે, બાંગ્‍લાદેશમાં લઘુમતિ એવા હિન્‍દુઓ ઉપર ત્‍યાંના ઉપદ્રવીઓ દ્વારા અત્‍યાચાર હૂમલાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વિરૂદ્ધ ભારતના હિન્‍દુ સમુદાયમાં આક્રોશ છે. જેને પ્રગટ કરવા માટે હિન્‍દુ હિત રક્ષક સમિતિ દ્વારા દેશવ્‍યાપીધરણાં-પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Related posts

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

Leave a Comment