January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

નવા પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાના નામની ચર્ચા : વી.આઈ.એ.એ નામો મોકલાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નોટિફાઈડ બોર્ડની વર્તમાન બોડીની મુદત પુરી થવાની હોવાથી નવા બોર્ડની રચના અંગે ચક્રો ગતિમાન થઈ ચૂક્‍યા છે. વાપી વીઆઈએ દ્વારા સુચિત નામો ગાંધીનગર વડી કચેરીમાં મોકલી અપાયા હતા તેને સોમવારે મંજુરીની મહોર લાગી ગઈ છે. આગામી સમયે મળનારી બેઠકમાં નવા ચેરમેન અને રહેણાંક સહિતના બોર્ડ સભ્‍યોની જાહેરાત કરવામાં આવશે.
વર્તમાન નોટિફાઈડ બોર્ડના ચેરમેન હેમંત પટેલ અને બોડીની મુદત પુરી થતી હોવાથી જીઆઈડીસી દ્વારા નવા નામો ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મંગાવાયા હતા. વી.આઈ.એ. તરફથી બે ઉદ્યોગકાર યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોની દરખાસ્‍ત કરાઈ હતી. તેમજ મોટા ઉદ્યોગમાંથી દિનેશચંદ્ર પાટીલનું નામ મોકલાયું હતું. સોમવારે સરકારના ખાણ-ઉદ્યોગ વિભાગે આ નામોની મંજુરી આપી હતી. હવે નવા નોટિફાઈડ બોર્ડની રચના આગામી મિટિંગમાં હાથ ધરાશે. નવિન બોર્ડમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સેક્રેટરી કલ્‍પેશ વોરા હોદ્દાની રુએ બોર્ડ સભ્‍ય હશે તેમજ યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોરજૂ થઈ ચૂક્‍યા છે. સરકાર તરફથી વિડિઝન મેનેજર, સુપ્રિટેન્‍ડ એન્‍જિનિયર, ચીફ ઓફિસરનો પણ બોર્ડમાં સમાવેશ થશે. હવે ચર્ચાએ જોર પકડયું છે કે રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ તરીકે અત્‍યાર સુધી તો ચેતન્‍ય ભટ્ટ રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ છે. જો કે આ ચર્ચાઓનો અંત પ્રથમ બેઠકમાં આવી જશે. પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાનું નામ લગભગ નિヘતિ છે.

Related posts

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

વાપીની આશાધામ સ્‍કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment