September 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

નવા પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાના નામની ચર્ચા : વી.આઈ.એ.એ નામો મોકલાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નોટિફાઈડ બોર્ડની વર્તમાન બોડીની મુદત પુરી થવાની હોવાથી નવા બોર્ડની રચના અંગે ચક્રો ગતિમાન થઈ ચૂક્‍યા છે. વાપી વીઆઈએ દ્વારા સુચિત નામો ગાંધીનગર વડી કચેરીમાં મોકલી અપાયા હતા તેને સોમવારે મંજુરીની મહોર લાગી ગઈ છે. આગામી સમયે મળનારી બેઠકમાં નવા ચેરમેન અને રહેણાંક સહિતના બોર્ડ સભ્‍યોની જાહેરાત કરવામાં આવશે.
વર્તમાન નોટિફાઈડ બોર્ડના ચેરમેન હેમંત પટેલ અને બોડીની મુદત પુરી થતી હોવાથી જીઆઈડીસી દ્વારા નવા નામો ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મંગાવાયા હતા. વી.આઈ.એ. તરફથી બે ઉદ્યોગકાર યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોની દરખાસ્‍ત કરાઈ હતી. તેમજ મોટા ઉદ્યોગમાંથી દિનેશચંદ્ર પાટીલનું નામ મોકલાયું હતું. સોમવારે સરકારના ખાણ-ઉદ્યોગ વિભાગે આ નામોની મંજુરી આપી હતી. હવે નવા નોટિફાઈડ બોર્ડની રચના આગામી મિટિંગમાં હાથ ધરાશે. નવિન બોર્ડમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સેક્રેટરી કલ્‍પેશ વોરા હોદ્દાની રુએ બોર્ડ સભ્‍ય હશે તેમજ યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોરજૂ થઈ ચૂક્‍યા છે. સરકાર તરફથી વિડિઝન મેનેજર, સુપ્રિટેન્‍ડ એન્‍જિનિયર, ચીફ ઓફિસરનો પણ બોર્ડમાં સમાવેશ થશે. હવે ચર્ચાએ જોર પકડયું છે કે રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ તરીકે અત્‍યાર સુધી તો ચેતન્‍ય ભટ્ટ રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ છે. જો કે આ ચર્ચાઓનો અંત પ્રથમ બેઠકમાં આવી જશે. પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાનું નામ લગભગ નિヘતિ છે.

Related posts

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

વાપીની સ્‍કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment