April 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

કુર્ઝ અને સુત્રપાડા વહેલી સવારે 3:6 અને 2:2ના ભૂકંપના આંચકા આવ્‍યા : દાનહ સુરંગી-ખાનવેલ-વેલુગામમાં પણ અસર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપીથી 36 કીલોમીટર દૂર મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાની સરહદે આવેલ બે ગામોમાં વહેલી સવારે 5:36 વાગ્‍યાના સુમારે ભૂકંપના આફટર શોક ના બે આંચકા આવ્‍યા હતા. આંચકાને લઈ ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.
તલાસરી મહારાષ્‍ટ્રની સરહદે આવેલ કુર્ઝ અને સુત્રપાડા નામના બે ગામો જે વાપીથી 36 અને 33 કી.મી.ના અંતરે આવેલા છે. સિસમોલોઝીકલ સુત્રો મુજબ આ ગામોમાં આફટર શોકના ભૂકંપના 3:6 અને 2:2 ના આંચકા નોંધાયા છે. સવારે 5:36 કલાકે આવેલ ભૂકંપના આંચકાને લઈ ગ્રામવાસીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જમીનમાં 10 કી.મી. નીચે આંચકો નોંધાયો છે. આની અસર દાદરા નગરહવેલીના સુરંગી, વેલુગામ, ખાનવેલમાં પણ થયેલી જોવા મળી હતી. આ ગામોમાં પણ લોકો ગભરાઈ ગયા હતા. જો કે ભૂકંપ આફટર શોકને લઈ અન્‍ય કોઈ જાનહાની કે નુકશાનનો અહેવાલ નથી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

દાનહઃ અથાલ નજીક ટ્રિપલ અકસ્‍માતમાં 14 ઈજાગ્રસ્‍ત: ગાય વચ્‍ચે આવી જતા ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ કન્‍ટેનર અને બસને થયો અકસ્‍માત

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

૨૬-વલસાડ (અ.જ.જા.) લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇએએસ) અને પોલીસ ઓબ્ઝર્વર શ્રીનાથ મહાદેવ જોશી(આઇપીએસ) એ જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમની મુલાકાત લીધી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

Leave a Comment