February 5, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

કુર્ઝ અને સુત્રપાડા વહેલી સવારે 3:6 અને 2:2ના ભૂકંપના આંચકા આવ્‍યા : દાનહ સુરંગી-ખાનવેલ-વેલુગામમાં પણ અસર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપીથી 36 કીલોમીટર દૂર મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાની સરહદે આવેલ બે ગામોમાં વહેલી સવારે 5:36 વાગ્‍યાના સુમારે ભૂકંપના આફટર શોક ના બે આંચકા આવ્‍યા હતા. આંચકાને લઈ ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.
તલાસરી મહારાષ્‍ટ્રની સરહદે આવેલ કુર્ઝ અને સુત્રપાડા નામના બે ગામો જે વાપીથી 36 અને 33 કી.મી.ના અંતરે આવેલા છે. સિસમોલોઝીકલ સુત્રો મુજબ આ ગામોમાં આફટર શોકના ભૂકંપના 3:6 અને 2:2 ના આંચકા નોંધાયા છે. સવારે 5:36 કલાકે આવેલ ભૂકંપના આંચકાને લઈ ગ્રામવાસીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જમીનમાં 10 કી.મી. નીચે આંચકો નોંધાયો છે. આની અસર દાદરા નગરહવેલીના સુરંગી, વેલુગામ, ખાનવેલમાં પણ થયેલી જોવા મળી હતી. આ ગામોમાં પણ લોકો ગભરાઈ ગયા હતા. જો કે ભૂકંપ આફટર શોકને લઈ અન્‍ય કોઈ જાનહાની કે નુકશાનનો અહેવાલ નથી.

Related posts

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment