March 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. શર્મા તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કર્યું, પોલીસ ટીમને રૂા.12.09 લાખનું ઈનામ અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવેલ પારડી મોતીવાડા રેપ વીથ મર્ડર કેસના સિરિયલ કિલર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી કેસ સફળતાપૂર્વક ડીટેક્‍ટ કરવા બદલ ગૃહમંત્રીએ વલસાડ પોલીસ ટીમનું સન્‍માન કર્યું હતું. ગાંધી નગર ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિશિષ્‍ટ કામગીરી બજાવનાર ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લા માટે નવેમ્‍બર તા.19-2024 નો દિવસ ગોઝારો દિવસ બની ઉઠયો હતો. પારડીના મોતીવાડા ગામની એક વિદ્યાર્થીનીનું અજાણ્‍યા યુવકેઆંબાવાડી વિસ્‍તારમાં લઈ જઈ બેરહેમ દુષ્‍કર્મ આચરી નિર્મમ હત્‍યા કરી હતી. આ કેસની વલસાડ પોલીસે બારીકાઈથી કુનેહ પૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી હતી. 11 દિવસ પોલીસના 12 પીઆઈ, 17 પી.એસ.આઈ., 4 ડીવાયએસપી અને 300 થી વધુ પોલીસ જવાનો આરોપી શોધવા સતત ઝઝુમ્‍યા હતા. તપાસના વિવિધ પાસા કડીઓ-સીસીટીવી ફૂટેજની તપાસના અંતે આરોપીને વાપી રેલવે સ્‍ટેશનથી ઝડપી પાડયો હતો. આરોપીને ઝડપનાર બે પોલીસ કર્મીઓનું પણ મોતીવાડા સરપંચએ 50 હજારનું ઈનામ આપ્‍યું હતું. સમગ્ર કેસને ડીટેક્‍ટ કરવા બદલ ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. એ.કે. શર્મા અને એસ.આઈ.ટી. ટીમનું ભવ્‍ય સન્‍માન કરાયું હતું તેમજ 12.09 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં આઈ.જી., ડી.જી. વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

Leave a Comment