October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્‍યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/12/2024 ના દિને નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્‍યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્‍યો અને જ્‍યાં સરકારી પી.એસ.સી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્‍યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
નાની ઢોલડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્‍યાનો જુનો સર્વે નંબર 184 જેમાં 22 જેટલા ભાગીદારોના નામ હોય 7/12 ની નકલમાં અને હાલે વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી શીર પડતર કરી દેવામાં આવ્‍યો છે એ કેટલું યોગ્‍ય સામાન્‍ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્‍યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે. ખેડૂત જ્‍યારે નવું મીટરનું કનેક્‍શન લેવા જાય છે ત્‍યારે પણ 7/12 માં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્‍યામાં હાલે પી.એચ.સી. બની રહ્યું હોય અને એપીએચસીનો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથીપરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્‍યા છે જે માલિકીની છે એ જગ્‍યામાં કોઈ એક વ્‍યક્‍તિની સંમતિ લઈને આખી જગ્‍યા લઈ લેવામાં આવે છે અને બાકીના 21 જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્‍યા લઈ લેવામાં આવી છે જે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્‍યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્‍યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી હતી.
જ્‍યાં જવાબ રજૂ કરતી વખતે નાની ઢોલડુંગરી ગામના ખેડૂત ખાતેદારો સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

Leave a Comment