March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્‍યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/12/2024 ના દિને નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્‍યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્‍યો અને જ્‍યાં સરકારી પી.એસ.સી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્‍યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
નાની ઢોલડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્‍યાનો જુનો સર્વે નંબર 184 જેમાં 22 જેટલા ભાગીદારોના નામ હોય 7/12 ની નકલમાં અને હાલે વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી શીર પડતર કરી દેવામાં આવ્‍યો છે એ કેટલું યોગ્‍ય સામાન્‍ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્‍યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે. ખેડૂત જ્‍યારે નવું મીટરનું કનેક્‍શન લેવા જાય છે ત્‍યારે પણ 7/12 માં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્‍યામાં હાલે પી.એચ.સી. બની રહ્યું હોય અને એપીએચસીનો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથીપરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્‍યા છે જે માલિકીની છે એ જગ્‍યામાં કોઈ એક વ્‍યક્‍તિની સંમતિ લઈને આખી જગ્‍યા લઈ લેવામાં આવે છે અને બાકીના 21 જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્‍યા લઈ લેવામાં આવી છે જે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્‍યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્‍યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી હતી.
જ્‍યાં જવાબ રજૂ કરતી વખતે નાની ઢોલડુંગરી ગામના ખેડૂત ખાતેદારો સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

ગુસ્‍સામાં ઘરેથી નીકળી ગયેલી મુંબઈની ગર્ભવતી મહિલાનું વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યુ

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment