February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્‍યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/12/2024 ના દિને નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્‍યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્‍યો અને જ્‍યાં સરકારી પી.એસ.સી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્‍યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
નાની ઢોલડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્‍યાનો જુનો સર્વે નંબર 184 જેમાં 22 જેટલા ભાગીદારોના નામ હોય 7/12 ની નકલમાં અને હાલે વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી શીર પડતર કરી દેવામાં આવ્‍યો છે એ કેટલું યોગ્‍ય સામાન્‍ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્‍યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે. ખેડૂત જ્‍યારે નવું મીટરનું કનેક્‍શન લેવા જાય છે ત્‍યારે પણ 7/12 માં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્‍યામાં હાલે પી.એચ.સી. બની રહ્યું હોય અને એપીએચસીનો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથીપરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્‍યા છે જે માલિકીની છે એ જગ્‍યામાં કોઈ એક વ્‍યક્‍તિની સંમતિ લઈને આખી જગ્‍યા લઈ લેવામાં આવે છે અને બાકીના 21 જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્‍યા લઈ લેવામાં આવી છે જે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્‍યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્‍યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી હતી.
જ્‍યાં જવાબ રજૂ કરતી વખતે નાની ઢોલડુંગરી ગામના ખેડૂત ખાતેદારો સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્‍પસ-સેલવાસ ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ અને જીએનએલયુના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લીગલ એઈડ ક્‍લિનિક અને લાઈબ્રેરીનું કરેલું ઉ્‌દઘાટન

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

Leave a Comment