April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: ભામટી પ્રગતિ મંડળ દ્વારા 77મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી.
આ વર્ષે ભામટી પ્રગતિ મંડળે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત ‘માટીકો નમન, વીરોકો વંદન’માં ભામટી ગામના નિવૃત્ત ફૌજી શ્રી અમૃતભાઈ કાલીદાસનું તેમના પરિવાર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શ્રી અમૃતભાઈ કાલીદાસે 1971ના ભારત – પાકિસ્‍તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેઓ હંમેશા નવયુવાનો માટે પ્રેરણાદાયી રહ્યા હતા. તેમના દીર્ઘાયુ અને નિરોગી જીવનની કામના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ગામનાબાળકોએ પોતાની વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પુષ્‍પા રાઠોડ-ગોસાવીએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગામના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

Leave a Comment