Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

નિયમિત ક્રમે પ્રમાણે લીલાપોરમાં રહેતા 56 વર્ષિય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડનું ટ્રેન અકસ્‍માતમાં ઘટના સ્‍થળે મોત થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસેના લિલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા 54 વર્ષિય આધેડ આજે સવારે 6:30 વાગ્‍યાના સુમારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ અતુલ કંપનીમાં નોકરી જવા નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને તેઓ પાટો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગુડ્‍ઝ ટ્રેન અચાનક આવી જતા અડફેટમાં આધેડનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
અરેરાટી ઉપજાવતી ઘટનાની વિગતો મુજબ વલસાડના લીલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ આજે સોમવારે સવારે ઘરેથી અતુલ કંપનીમાં નોકરીએ જવા નિકળ્‍યા હતા. પ્રકાશભાઈ વલસાડ સ્‍ટેશને પાટો ઓળંગી રહ્યા હતા ત્‍યારે અચાનક ગુડ્‍ઝ ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટમાં તેઓ પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રકાશભાઈનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. ગામના સરપંચ મનોજભાઈ આહીરને ઘટનાની જાણ થતા રેલવે સ્‍ટેશન ઉપર દોડી આવ્‍યા હતા. પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. વલસાડના સરકારી હોસ્‍પિટલમાં ડેથબોડીનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા લીલાપોરગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.

Related posts

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

vartmanpravah

Leave a Comment