January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

નિયમિત ક્રમે પ્રમાણે લીલાપોરમાં રહેતા 56 વર્ષિય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડનું ટ્રેન અકસ્‍માતમાં ઘટના સ્‍થળે મોત થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસેના લિલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા 54 વર્ષિય આધેડ આજે સવારે 6:30 વાગ્‍યાના સુમારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ અતુલ કંપનીમાં નોકરી જવા નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને તેઓ પાટો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગુડ્‍ઝ ટ્રેન અચાનક આવી જતા અડફેટમાં આધેડનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
અરેરાટી ઉપજાવતી ઘટનાની વિગતો મુજબ વલસાડના લીલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ આજે સોમવારે સવારે ઘરેથી અતુલ કંપનીમાં નોકરીએ જવા નિકળ્‍યા હતા. પ્રકાશભાઈ વલસાડ સ્‍ટેશને પાટો ઓળંગી રહ્યા હતા ત્‍યારે અચાનક ગુડ્‍ઝ ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટમાં તેઓ પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રકાશભાઈનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. ગામના સરપંચ મનોજભાઈ આહીરને ઘટનાની જાણ થતા રેલવે સ્‍ટેશન ઉપર દોડી આવ્‍યા હતા. પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. વલસાડના સરકારી હોસ્‍પિટલમાં ડેથબોડીનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા લીલાપોરગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.

Related posts

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ માંદોની અને સિંદોની ગામની મુલાકાત લઈ પીવાના પાણી સહિતની વિવિધ સમસ્‍યાથી રૂબરૂ થયા : મુલાકાત દરમિયાન ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને જિ.પં.ના સીઈઓ અપૂર્વ શર્મા પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

Leave a Comment