September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સમય સમય પર ફાયર સેફટીને ધ્‍યાનમાં લઈ જિલ્લાની વિવિધશૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેની કડીમાં નરોલી ખાતેની સરકારી હાઈસ્‍કૂલના પરિસરમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, વગેરે ટીમો બનાવીને અચાનક રીતે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની સમજ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં શાળાના સંચાલકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં જ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. દરમિયાન આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિઓને ત્‍વરિત એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કોઈપણ આપાતકાલ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનોનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ડેમોસ્‍ટ્રેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ વિવિધ વ્‍યવહારૂં કરતબો કરીને મોક ડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રીલનો ઉદ્દેશ્‍ય હતો શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમજ શાળાના કર્મચારીઓમાં જાગૃતિ અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.

Related posts

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

Leave a Comment