October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સમય સમય પર ફાયર સેફટીને ધ્‍યાનમાં લઈ જિલ્લાની વિવિધશૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેની કડીમાં નરોલી ખાતેની સરકારી હાઈસ્‍કૂલના પરિસરમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, વગેરે ટીમો બનાવીને અચાનક રીતે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની સમજ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં શાળાના સંચાલકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં જ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. દરમિયાન આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિઓને ત્‍વરિત એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કોઈપણ આપાતકાલ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનોનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ડેમોસ્‍ટ્રેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ વિવિધ વ્‍યવહારૂં કરતબો કરીને મોક ડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રીલનો ઉદ્દેશ્‍ય હતો શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમજ શાળાના કર્મચારીઓમાં જાગૃતિ અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

Leave a Comment