April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

4 ઉમેદવારોના ભાગ્‍યનો થનારો ફેંસલોઃ બપોરના 12:30 વાગ્‍યા સુધી પરિણામનું ચિત્ર સ્‍પષ્‍ટ બનવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
આવતી કાલે સવારે 8:30 કલાકે સેલવાસના કરાડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પોલીટેક્‍નિકમાં લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે ગત તા.30મી ઓક્‍ટોબરના રોજ યોજાયેલ પેટા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવશે. એક રાઉન્‍ડમાં એક સાથે 20 બુથની મત ગણતરી હાથ ધરાતા 20 રાઉન્‍ડ બાદ આખરી પરિણામ બહાર આવશે. પરંતુ આવતી કાલે બપોરના 12:30 વાગ્‍યાના આસપાસ લગભગ તમામ ચિત્ર સ્‍પષ્‍ટ બની ગયું હશે.
આવતી કાલે ભાજપના શ્રી મહેશ ગાવિત, શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર તથા કોંગ્રેસના શ્રી મહેશ ધોડી અને બીટીપીના શ્રી ગણેશ ભુજાડાના ભાગ્‍યનો ફેંસલો સામે આવશે. સંઘપ્રદેશ પ્રશાસન અને ચૂંટણી વિભાગે આવતી કાલે હાથ ધરાનારી મત ગણતરીના સંદર્ભમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પુરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરાઈ છે.
આવતી કાલે દાદરા નગર હવેલીના મતદારોએ કોના ઉપર મહોર મારી છે તે પણ સ્‍પષ્‍ટ બની જશે.

Related posts

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્‍તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

Leave a Comment