December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્‍મ જયંતિ નિમિતે સેલવાસમાં માતોશ્રી રમાબાઈ આંબેડકર નગર ખાતે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, શ્રી સુદર્શન કાબલે સહિત વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્‍પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે શ્રી નટુભાઈ પટેલે જણાવ્‍યું કે, ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આપણા દેશનું સંવિધાન નહીં બનાવ્‍યું હોત તો હું કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો બે ટર્મનો સાંસદ બની શક્‍યો નહોત.


પુષ્‍પાંજલિ કાર્યક્રમ બાદ માતોશ્રી રમાબાઈ આંબેડકર નગરથી યુવાનો દ્વારા ‘જય ભીમ’ના નારા સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર સેલવાસ શહેરમાં ફરી હતી. આ અવસરે આશિષ ઠક્કર, સેલવાસ નગરપાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ, શ્રી અવધેશસિંહ છત્રસિંહ ચૌહાણ, શ્રી વિજય પગારે સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment