October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્‍મ જયંતિ નિમિતે સેલવાસમાં માતોશ્રી રમાબાઈ આંબેડકર નગર ખાતે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, શ્રી સુદર્શન કાબલે સહિત વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્‍પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે શ્રી નટુભાઈ પટેલે જણાવ્‍યું કે, ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આપણા દેશનું સંવિધાન નહીં બનાવ્‍યું હોત તો હું કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો બે ટર્મનો સાંસદ બની શક્‍યો નહોત.


પુષ્‍પાંજલિ કાર્યક્રમ બાદ માતોશ્રી રમાબાઈ આંબેડકર નગરથી યુવાનો દ્વારા ‘જય ભીમ’ના નારા સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર સેલવાસ શહેરમાં ફરી હતી. આ અવસરે આશિષ ઠક્કર, સેલવાસ નગરપાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ, શ્રી અવધેશસિંહ છત્રસિંહ ચૌહાણ, શ્રી વિજય પગારે સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment