Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્‍મ જયંતિ નિમિતે સેલવાસમાં માતોશ્રી રમાબાઈ આંબેડકર નગર ખાતે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, શ્રી સુદર્શન કાબલે સહિત વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્‍પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે શ્રી નટુભાઈ પટેલે જણાવ્‍યું કે, ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આપણા દેશનું સંવિધાન નહીં બનાવ્‍યું હોત તો હું કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો બે ટર્મનો સાંસદ બની શક્‍યો નહોત.


પુષ્‍પાંજલિ કાર્યક્રમ બાદ માતોશ્રી રમાબાઈ આંબેડકર નગરથી યુવાનો દ્વારા ‘જય ભીમ’ના નારા સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર સેલવાસ શહેરમાં ફરી હતી. આ અવસરે આશિષ ઠક્કર, સેલવાસ નગરપાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ, શ્રી અવધેશસિંહ છત્રસિંહ ચૌહાણ, શ્રી વિજય પગારે સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

Leave a Comment