July 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ મેળવવા જરૂરી આવકના દાખલા તેમનાઘરઆંગણે જ મળી શકે તેવી કરાયેલી વ્‍યવસ્‍થાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ચહેરા ઉપર સંતોષ અને ખુશીની ઝળકેલી લહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માનવીય અને સંવેદનશીલ અભિગમ અંતર્ગત દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ આજે સેલવાસ વિભાગની વિવિધ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં રેવન્‍યુ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ મેળવવા માટે જરૂરી આવકનો દાખલો આ શિબિરમાં આપવામાં આવ્‍યો હતો.
સેલવાસ વિભાગની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પોતાના આવકના દાખલા માટે સેલવાસ મામલતદાર કાર્યાલય સુધી લાંબા થવું પડતું હતું. જેના સ્‍થાને સેલવાસ વિભાગની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં જ રેવન્‍યુ શિબિરનું આયોજન કરી અરજકર્તાઓને તે દિવસે જ આવકનો દાખલો (ઈન્‍કમ સર્ટીફિકેટ) મળી જાય તેવી વ્‍યવસ્‍થા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ શાળાઓમાં આવકનો દાખલો આપવાની કરાયેલી વ્‍યવસ્‍થામાં આજે (1) ટોકરખાડા મોડેલ ઈંગ્‍લીશ મિડીયમ સ્‍કૂલમાં 183, (2) નરોલી ઉચ્‍ચતર વિદ્યાલયમાં 145, (3) દાદરા ઉચ્‍ચતર વિદ્યાલય 57, (4) રાંધા ઉચ્‍ચતર વિદ્યાલય106 અને (5) રખોલી ઉચ્‍ચતર વિદ્યાલયમાં 118 અરજીઓ મળી કુલ 609 પૈકી 587 અરજીઓનો નિકાલ આજે કરી તમામને આવકનો દાખલો આપવામાં આવ્‍યો હતો. બાકી રહેલા 22 અરજકર્તાઓને તા.18મી સુધી આવકનો દાખલો આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આ શિબિરથી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ભારે ઉત્‍સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment