March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા હેઠળ સેલવાસના કિલવણી નાકા ખાતે જનનાયક બિરસા મુંડા ચોકમાં જન નાયકની પ્રતિમા લગાવી ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું અને આ ચોકનું નામકરણ જન નાયક શ્રી બિરસા મુંડા ચોક તરીકે જાહેર કરવા સંઘપ્રદેશના પ્રશાસક સમક્ષ દરખાસ્‍ત રજૂ કરવાનું પણ ઠરાવવામાં આવ્‍યું હતું.
આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના રરમા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકિયા, સંયોજક શ્રી વિનય કુંવરા, શ્રી નાના શિંદે, પ્રમુખ શ્રી રામુ ભાવર, કાર્યકારી પ્રમુખ શ્રી અશોક વળવી, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિ કોલા, શ્રી શ્‍યામ ગિંભલ, પંચાયત અને નગર પરિષદ વિસ્‍તરણના તમામ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સ્‍થાપક મહામંત્રી અને આગેવાન કાર્યકર્તા એવા સ્‍વ. શ્રી જુગલભાઈ પટેલને તેમની પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

Leave a Comment