September 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા હેઠળ સેલવાસના કિલવણી નાકા ખાતે જનનાયક બિરસા મુંડા ચોકમાં જન નાયકની પ્રતિમા લગાવી ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું અને આ ચોકનું નામકરણ જન નાયક શ્રી બિરસા મુંડા ચોક તરીકે જાહેર કરવા સંઘપ્રદેશના પ્રશાસક સમક્ષ દરખાસ્‍ત રજૂ કરવાનું પણ ઠરાવવામાં આવ્‍યું હતું.
આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના રરમા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકિયા, સંયોજક શ્રી વિનય કુંવરા, શ્રી નાના શિંદે, પ્રમુખ શ્રી રામુ ભાવર, કાર્યકારી પ્રમુખ શ્રી અશોક વળવી, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિ કોલા, શ્રી શ્‍યામ ગિંભલ, પંચાયત અને નગર પરિષદ વિસ્‍તરણના તમામ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સ્‍થાપક મહામંત્રી અને આગેવાન કાર્યકર્તા એવા સ્‍વ. શ્રી જુગલભાઈ પટેલને તેમની પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment