December 1, 2025
Vartman Pravah
સેલવાસ

દાનહ સાયલી ગામે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ભેટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17

બાલમેર લોરી એન્‍ડ કો લીના સીએસઆર પ્રવળત્તિ અંતર્ગત સ્‍વદીપ સંસ્‍થા દ્વારા સેલવાસ ખાતે સાયલી અને ખડૉલી ગામોમાં આવેલ આંગણવાડી અને શાળા સાથે અનુક્રમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, સ્‍વચ્‍છતા અને સ્‍વાસ્‍થ્‍ય જાગળતિની પ્રવુતિઓ અને કાર્યક્રમો કરવામા આવે છે.
આંગણવાડી કાર્યકર્તાઓની નિયમિત તાલીમ અંતર્ગત આંગણવાડી કાર્યકર્તાઓને પાર્થો ચેટર્જી બાલમેર લૉરી અધિકારી દ્વારા મોટીવેશનલ ગિફ્‌ટ આપી તેઓના કાર્યને પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.
આંગણવાડી કાર્યકર્તાઓની ક્ષમતા નિર્માણ માટે આયોજિત આ તાલીમમાં પાર્થો સાહેબ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગી ટીચિંગ લર્નિંગ મટીરીઅલ્‍સનું પણ વિતરણ કરવામા આવ્‍યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સ આપવા સાથે તેના યોગ્‍ય વપરાશ વિષે જાગળત કરવામા આવ્‍યા હતા.

Related posts

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment