Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ અને ‘આદિવાસી સમન્‍વય ભારત મંચ’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 16 નવેમ્‍બરના રોજ જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવની ઉજવણીનું આયોજન કરાશે. ‘આદિવાસી એકતા પરિષદ’ આદિવાસી સમાજને એકજૂટ કરવા માટે સતત પ્રયત્‍નશીલ છે. આ વખતે ભગવાન બિરસા મુંડાના જન્‍મોત્‍સવના અવસરે થીમ છે ‘‘આદિવાસીના હક્ક અધિકારની લડાઈ”. અમે પ્રાંતવાદથી ઉપર ઉઠી બોર્ડરલેસ થઈ આદિવાસીઓની જમીન, જળ, જંગલ અને સંવૈધાનિક અધિકાર અને સુરક્ષાના માટે દેશના દરેક આદિવાસીઓને દરેક વિવાદોથી ઉપર ઉઠી એક મંચ અને એક બેનર નીચે અહિંસક રીતે લડાઈ લડવી પડશે.દાનહ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના વાંસદા વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, ડેડીયાપાડા વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી ચૈતર વસાવા, આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્‍યક્ષ ડો. શાંતિકર વસાવા, આદિવાસી સમન્‍વય મંચ ભારતના ડો. સુનિલ પરહાડ અને મધ્‍યપ્રદેશથી પોરલાલ ખરતે વિશેષ ઉપસ્‍થિત રહેશે.
‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રદેશના આદિવાસીઓને હંમેશા એક દિશા આપવાનું કાર્ય કરે છે. જનનાયક બિરસા મુંડા જન્‍મોત્‍સવના કાર્યક્રમ અને મહારેલીમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી, તંબાડી, નાનાપોંઢા, કપરાડા, ધરમપુર અને અન્‍ય વિસ્‍તારમાંથી આદિવાસી સ્‍થાનીય સમાજ જોડાશે. આ એકતા મહારેલીમાં સંઘપ્રદેશના દરેકને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

Leave a Comment