July 18, 2026
Vartman Pravah
દીવ

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23
દીવ બાલભવનમાં તાજેતરમાં બે દિવસ માટે ‘બાલગીત’ તેમજ ‘બાલવાર્તાની રચના માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યુ઼ હતું. આ વર્કશોપ માટે અમરેલી (ગુજરાત)થી કવિ શ્રી કેતન જોષી આવ્‍યા હતા. તેઓ શ્રી કવિ ઉપરાંત સાહિત્‍યકાર પણ છે. ઘણા દૈનિકો તેમજ ચિત્રલેખા જેવા મેગેઝીનમાં તેમના વારંવાર લેખ આવતા રહે છે.
શ્રી કેતન જોષીની કવિતા સંગ્રહપણ છપાયેલ છે. કવિ શ્રી કેતનભાઈ ખુબજ રસપુર્વક બાળકો સાથે હરીભરીને બાલગીત તેમજ બાલવાર્તા કઈ રીત બનાવવું તેમા વ્‍યસ્‍ત હતા. બે દિવસમાં 30 જેટલા બાળકોને બાલવાર્તા અને બાલગીતની રચના કરવા સુંદર અને સરળ સમજ આપી હતી અને આશરે દસેક બાળકોએ સુંદર બાલવાર્તા બનાવી હતી અને હવે બાળકો આ મુજબ બાલવાર્તા તેમજ કવિતા બનાવતા રહેશે.
તદુપરાંત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત નેશનલ લેવલ રંગોલી સ્‍પર્ધાનું આયોજન પણ દીવ બાલભવનને સોંપવામાં આવ્‍યું છે. તેમા પ્રથમ ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ પછી યુ.ટી. લેવલ અને પછી નેશનલ લેવલે ભાગ લેવા માટેનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ડીસ્‍ટ્રીક્‍ટ લેવલની સ્‍પર્ધા ડીસેમ્‍બર-ર0ર1માં રાખવામાં આવી છે.

Related posts

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

Leave a Comment