April 20, 2024
Vartman Pravah
દીવ

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23
દીવ બાલભવનમાં તાજેતરમાં બે દિવસ માટે ‘બાલગીત’ તેમજ ‘બાલવાર્તાની રચના માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યુ઼ હતું. આ વર્કશોપ માટે અમરેલી (ગુજરાત)થી કવિ શ્રી કેતન જોષી આવ્‍યા હતા. તેઓ શ્રી કવિ ઉપરાંત સાહિત્‍યકાર પણ છે. ઘણા દૈનિકો તેમજ ચિત્રલેખા જેવા મેગેઝીનમાં તેમના વારંવાર લેખ આવતા રહે છે.
શ્રી કેતન જોષીની કવિતા સંગ્રહપણ છપાયેલ છે. કવિ શ્રી કેતનભાઈ ખુબજ રસપુર્વક બાળકો સાથે હરીભરીને બાલગીત તેમજ બાલવાર્તા કઈ રીત બનાવવું તેમા વ્‍યસ્‍ત હતા. બે દિવસમાં 30 જેટલા બાળકોને બાલવાર્તા અને બાલગીતની રચના કરવા સુંદર અને સરળ સમજ આપી હતી અને આશરે દસેક બાળકોએ સુંદર બાલવાર્તા બનાવી હતી અને હવે બાળકો આ મુજબ બાલવાર્તા તેમજ કવિતા બનાવતા રહેશે.
તદુપરાંત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત નેશનલ લેવલ રંગોલી સ્‍પર્ધાનું આયોજન પણ દીવ બાલભવનને સોંપવામાં આવ્‍યું છે. તેમા પ્રથમ ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ પછી યુ.ટી. લેવલ અને પછી નેશનલ લેવલે ભાગ લેવા માટેનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ડીસ્‍ટ્રીક્‍ટ લેવલની સ્‍પર્ધા ડીસેમ્‍બર-ર0ર1માં રાખવામાં આવી છે.

Related posts

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

Leave a Comment