Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશનવસારી

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

તસવીર – દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
ચીખલી તાલુકાના ફડવેલ ગામે વર્ષો પહેલાં નિર્માણ પામેલી ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં બનતા ગમે ત્‍યારે જમીન દોસ્‍ત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ચીખલી તાલુકાના ફડવેલ ગામે આશરે 23 વર્ષ પહેલાં 1998ની સાલમાં નિર્માણ પામેલ ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં છે. અહીં ગ્રામ પંચાયતમાં આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત ગ્રામ પંચાયતની હાલત હાડપિંજરની જેમ દેખાતા મકાનની છતમાંથી પોપડા ખરતા લોખંડનાસળિયા પણ દેખાવા લાગ્‍યા છે. અહીં ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને પણ ભય સતાવી રહ્યો છે. ફડવેલ ગામ આશરે 6000 હજારની વસ્‍તી ધરાવતું ગામ છે જેમાં આશરે 4300 જેટલું વોટિંગ સાથે ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ ધરાવતા ફડવેલ ગામને નવું ગ્રામ પંચાયતનું મકાન પણ ઉપલબ થતું નથી, જ્‍યારે નવા મકાન માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવ્‍યો છે. નવા મકાનની માંગણી માટે વર્ષ 2016-17માં તત્‍કાલીન તાલુકા પંચાત સભ્‍ય શ્રીમતી ઉષાબહેન મહેશભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત પણ કરવામાં આવી હતી, ત્‍યારબાદ 2021માં તાલુકા પંચાયત સભ્‍ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત સભ્‍યશ્રીને જાણ કરતા જિલ્લા પંચાયત સભ્‍ય દ્વારા જિલ્લા પંચાયતમાં નવા મકાન માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ તેનું પણ આજે વર્ષ થવામાં આવ્‍યું છે છતાં ગામને નવું મકાન નહિ મળતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં જર્જરિત મકાનના ટપકતાં છત નીચે પાણીમાં અરજદારોએ કામ અર્થે આવવાં મજબૂર બનવું પડશે.

Related posts

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment