January 24, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવાપીસેલવાસ

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે 104 ભારતીય નાગરિકોને 40 કલાક સુધી હાથકડી પહેરાવી આંતરરાષ્‍ટ્રીય માનવ અધિકાર સંધિનું અમેરિકાએ કરેલા ઉલ્લંઘનને વખોડી કાઢી જિલ્લા કલેક્‍ટર મારફત ભારતના રાષ્‍ટ્રપતિને આ ગંભીર મુદ્દાને ધ્‍યાનમાં લઈ યોગ્‍ય પગલાં ભરવા સરકારને તાકિદ કરવા પાઠવેલું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસે 104 ભારતીય નાગરિકોને વિમાનમાં 40 કલાક સુધી હાથકડી પહેરાવી આંતરરાષ્‍ટ્રીય માનવ અધિકાર સંધિનું અમેરિકાએ કરેલા ઉલ્લંઘનને વખોડી કાઢી જિલ્લા કલેક્‍ટર મારફત ભારતના રાષ્‍ટ્રપતિને આ ગંભીર મુદ્દાને ધ્‍યાનમાં લઈ યોગ્‍ય પગલાં ભરવા સરકારને તાકિદ કરવા જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી કેતનભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિને લખેલા પત્રમાં જણાવાયું છે કે, હાલમાં અમેરિકાથી 104 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરી તેમની સાથે અમાનવીય કરેલા વ્‍યવહારની ગંભીર નોંધ લઈ ભારત સરકારને ડિપ્‍લોમેટિક વિરોધ નોંધાવવા અને અમેરિકન સરકાર પાસે સ્‍પષ્‍ટીકરણ કરવા અને માફી માંગવા અનુરોધ કરવા રાષ્‍ટ્રપતિ સમક્ષ માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ થયેલા ભારતીય નાગરિકોનામાનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજના લાગુ કરવા પણ પોતાનો મત પ્રગટ કર્યો છે.
દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દમણ જિલ્લા કલેક્‍ટર મારફત મહામહિમ રાષ્‍ટ્રપતિને પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું છે.

Related posts

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

નાની દમણ ઝાંપાબાર સ્‍થિત તનિષ્‍કા જ્‍વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

Leave a Comment