April 8, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

પ્‍લોટ ટ્રાન્‍સફર કિસ્‍સામાં છ મહિના સુધી વણવપરાશી હોય તો વર્ષ આખું વણવપરાશ ગણાવો, લાઈટબીલ ઝીરો વપરાશ હોય તો પણ વપરાશી ગણાવા જેવા નિર્ણયો લેવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા માટે તાજેતરમાં જીઆઈડીસી, જીસીસીઆઈ તેમજ એસઆઈએનાપ્રતિનિધિઓની ખાસ કમીટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા રજૂઆત બાદ જી.આઈ.ડી.સી.એ ઉદ્યોગકારોના પેન્‍ડીંગ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ સાથે કેટલાક આવકાર્ય નિર્ણયો હતા જેને લઈને ઉદય લઈને ઉદ્યોગોને વેગ મળશે.
જી.આઈ.ડી.સી.,જી.સી.સી.આઈ તેમજ એફ.આઈ.એ.ના વિમર્શ બાદ નવા નિર્ણય લેવાયા છે. જે લાંબા સમયથી પડતર હતા. ખાસ કરીને પ્‍લોટ ટ્રાન્‍સફરના કિસ્‍સામાં થોડી અડચણ અવરોધ હતા.જે દુર કરી છ મહિના સુધી પ્‍લોટ વણવપરાશી રહ્યો હોય તો તેવો પણ વપ વપરાશી ગણવો, તેમજ લાઈટ બીલ ઝીરો વપરાશ રહ્યુ હોય તો તેણે પણ વણ વપરાશી કેટેગરીમાં ગણાશે. તેથી પ્‍લોટ ધારકોનું મોટુ ભારણ ઓછું થશે. તેવો વધુ આવકાર્ય નિર્ણય એ પણ લેવાયો હતો કે ઉદ્યોગકારો ર0 ટકા એફ.એસ.આઈ.નો ઉપયોગ લઈ શકશે તેવી લીલીઝંડી જી.આઈ.ડી.સી.એ આવી છે. ટૂંકમાં જી.આઈ.ડી.સી. દ્વારા ઉદ્યોગોના પ્રોત્‍સાહન માટે લેવાયેલા નવા નિર્ણયોને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્ય હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

Leave a Comment