April 4, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

પ્‍લોટ ટ્રાન્‍સફર કિસ્‍સામાં છ મહિના સુધી વણવપરાશી હોય તો વર્ષ આખું વણવપરાશ ગણાવો, લાઈટબીલ ઝીરો વપરાશ હોય તો પણ વપરાશી ગણાવા જેવા નિર્ણયો લેવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા માટે તાજેતરમાં જીઆઈડીસી, જીસીસીઆઈ તેમજ એસઆઈએનાપ્રતિનિધિઓની ખાસ કમીટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા રજૂઆત બાદ જી.આઈ.ડી.સી.એ ઉદ્યોગકારોના પેન્‍ડીંગ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ સાથે કેટલાક આવકાર્ય નિર્ણયો હતા જેને લઈને ઉદય લઈને ઉદ્યોગોને વેગ મળશે.
જી.આઈ.ડી.સી.,જી.સી.સી.આઈ તેમજ એફ.આઈ.એ.ના વિમર્શ બાદ નવા નિર્ણય લેવાયા છે. જે લાંબા સમયથી પડતર હતા. ખાસ કરીને પ્‍લોટ ટ્રાન્‍સફરના કિસ્‍સામાં થોડી અડચણ અવરોધ હતા.જે દુર કરી છ મહિના સુધી પ્‍લોટ વણવપરાશી રહ્યો હોય તો તેવો પણ વપ વપરાશી ગણવો, તેમજ લાઈટ બીલ ઝીરો વપરાશ રહ્યુ હોય તો તેણે પણ વણ વપરાશી કેટેગરીમાં ગણાશે. તેથી પ્‍લોટ ધારકોનું મોટુ ભારણ ઓછું થશે. તેવો વધુ આવકાર્ય નિર્ણય એ પણ લેવાયો હતો કે ઉદ્યોગકારો ર0 ટકા એફ.એસ.આઈ.નો ઉપયોગ લઈ શકશે તેવી લીલીઝંડી જી.આઈ.ડી.સી.એ આવી છે. ટૂંકમાં જી.આઈ.ડી.સી. દ્વારા ઉદ્યોગોના પ્રોત્‍સાહન માટે લેવાયેલા નવા નિર્ણયોને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્ય હતા.

Related posts

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

Leave a Comment