April 22, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

પ્‍લોટ ટ્રાન્‍સફર કિસ્‍સામાં છ મહિના સુધી વણવપરાશી હોય તો વર્ષ આખું વણવપરાશ ગણાવો, લાઈટબીલ ઝીરો વપરાશ હોય તો પણ વપરાશી ગણાવા જેવા નિર્ણયો લેવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા માટે તાજેતરમાં જીઆઈડીસી, જીસીસીઆઈ તેમજ એસઆઈએનાપ્રતિનિધિઓની ખાસ કમીટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા રજૂઆત બાદ જી.આઈ.ડી.સી.એ ઉદ્યોગકારોના પેન્‍ડીંગ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ સાથે કેટલાક આવકાર્ય નિર્ણયો હતા જેને લઈને ઉદય લઈને ઉદ્યોગોને વેગ મળશે.
જી.આઈ.ડી.સી.,જી.સી.સી.આઈ તેમજ એફ.આઈ.એ.ના વિમર્શ બાદ નવા નિર્ણય લેવાયા છે. જે લાંબા સમયથી પડતર હતા. ખાસ કરીને પ્‍લોટ ટ્રાન્‍સફરના કિસ્‍સામાં થોડી અડચણ અવરોધ હતા.જે દુર કરી છ મહિના સુધી પ્‍લોટ વણવપરાશી રહ્યો હોય તો તેવો પણ વપ વપરાશી ગણવો, તેમજ લાઈટ બીલ ઝીરો વપરાશ રહ્યુ હોય તો તેણે પણ વણ વપરાશી કેટેગરીમાં ગણાશે. તેથી પ્‍લોટ ધારકોનું મોટુ ભારણ ઓછું થશે. તેવો વધુ આવકાર્ય નિર્ણય એ પણ લેવાયો હતો કે ઉદ્યોગકારો ર0 ટકા એફ.એસ.આઈ.નો ઉપયોગ લઈ શકશે તેવી લીલીઝંડી જી.આઈ.ડી.સી.એ આવી છે. ટૂંકમાં જી.આઈ.ડી.સી. દ્વારા ઉદ્યોગોના પ્રોત્‍સાહન માટે લેવાયેલા નવા નિર્ણયોને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્ય હતા.

Related posts

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલ, મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

Leave a Comment