April 29, 2024
Vartman Pravah
Breaking Newsપારડી

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28
કોરોનાની ત્રીજી લહેરને લઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આદેશ મુજબ ગુજરાત સરકાર એલર્ટ બની ગઈ છે અને ‘‘હર ઘર દસ્‍તક” કાર્યક્રમ અંતર્ગત પારડી નગર પાલિકાના ચૂંટાયેલા વોર્ડના સભ્‍યોએ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો પોતપોતાના વોર્ડમાં જઈ દરેક ઘરે તપાસ હાથ ધરી છે કે મારા વોર્ડમાં કોઈ વ્‍યક્‍તિનું રસીકરણ બાકી તો નથી ને? જો બાકી હોય તો તેઓની નોંધણી કરી તેમને તાત્‍કાલિક રસીકરણનો લાભ આપવામાં આવશે અને જે ઘરે તમામ સભ્‍યોએ રસીકરણ કરાવ્‍યું હોય તે ઘરે ઘરના દરવાજા પર ‘‘મારૂં ઘર રસીકરણ યુક્‍ત-કોરોના મુક્‍ત”નું સ્‍ટીકર ચોંટાડી ઓળખ ઉભી કરાશે.
પારડી નગરપાલિકાના દરેક વોર્ડમાં જે તે વોર્ડના ચૂંટાયેલા સદસ્‍યો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ તેમના વોર્ડના ઘરે ઘરે જઈ રસીકરણ અભિયાન ચલાવી પોતાના ઘર, ફળિયુ, વોર્ડ અને સમગ્ર નગરને રસીકરણ યુક્‍ત બનાવીસંપૂર્ણ નગરને કોરોના મુક્‍ત બનાવશે.
આજરોજ પારડી નગરના વોર્ડ નંબર-1માં આ અભિયાન ચલાવી લોકોના ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરી કોઈ રસીકરણથી બાકી ન રહી જાય તેની નોંધ કરી જે ઘરના દરેક સભ્‍યોએ રસીકરણ કરાવ્‍યુ છે તે ઘરે સ્‍ટીકરો લગાવવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલની સાથે તેમની ટીમ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્‍યો જોડાઈને આ અભિયાન સફળ બનાવી રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

Leave a Comment