Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્‍યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.28
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં ધારાસભ્‍યની આગેવાનીમાં ધરણા પ્રદર્શન યોજી પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની માંગ કરવામાં આવી હતી.
તાલુકા પંચાયત દ્વારા ભૂતકાળમાં જે પ્રમાણે ટેન્‍ડર પ્રક્રિયાના માધ્‍યમથી વિકાસના કામો થતા હતા.જે પ્રથા હાલે પુનઃ અમલમાં લવાતા આ ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ, કોંગ્રેસ અગ્રણી આઈ.સી.પટેલ, શ્રી વલ્લભભાઈ દેશમુખ, શ્રી મગનભાઈ, શ્રી ચંદુભાઈ, શ્રી પરેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં સરપંચો સાથે તાલુકા પંચાયત પાસે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન ધારાસભ્‍ય શ્રી અનંત પટેલે જણાવ્‍યું હતું કે, વિકાસના કામોમાં સરપંચોના અધિકારો પર જો કોઈ તરાપ મારશે અથવા હક્કોછીનવવાની કોશિષ કરશે તો અમે ચૂપ બેસીશું નહિ અને ઉગ્ર આંદોલન કરીશું.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલે જણાવ્‍યું હતું કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત 5-લાખ સુધીના કામો કરવા તૈયાર હોય તેઓને કામો કરવા દેવાના હોય છે. સરપંચોને વિકાસના કામો કરવામાં અટકાવી શકાય નહીં જો આવું સતાધીશો કરશે તો અમે આંદોલન કરીશું.
આયોજન સહ ટીડીઓ શ્રી હિરેનભાઇ ચૌહાણના જણાવ્‍યાનુસાર લોક સુખાકારીના કામો માટે ટેન્‍ડરિંગ કરવું કે ગ્રામ પંચાયતને એજન્‍સી તરીકે સોંપવા તેની આખરી સત્તા તાલુકા પંચાયતને છે. પ્રથમ ગ્રામ પંચાયતને જ કામ સોંપવા એવી કોઈ જોગવાઈ નથી.

Related posts

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

Leave a Comment