Vartman Pravah
Breaking Newsદમણ

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
સરકારી કૉલેજ દમણના ગુજરાતી વિભાગ તથા સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિ દ્વારા ‘વિશેષ વિષય, વિશેષ વ્‍યાખ્‍યાન’ શ્રેણી અંતર્ગત વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સરકારી કૉલેજ દમણમાંવિદ્યાર્થીઓમાં વિદ્યાતેજ વધે એ માટે નવા-નવા આયમોથી કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કૉલેજના ગુજરાતી વિભાગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પ્રતિવર્ષ ‘વિશેષ વિષય, વિશેષ વ્‍યાખ્‍યાન’ શ્રેણી અંતર્ગત અનેક નવા વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ શ્રેણીના માધ્‍યમે તા.31 ડિસેમ્‍બર, 2021, શુક્રવારના રોજ ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિષયને ન્‍યાય આપવા માટે ગુજરાતી વિભાગ, ચિલ્‍ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રોફેસર અને જાણીતા સાહિત્‍યિક અભ્‍યાસ ડૉ. પ્રશાંત પટેલને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. જેઓએ આ વિષયને ખૂબ સચોટતાપૂર્વક, રસપ્રદરીતે પ્રસ્‍તુત કરી આપ્‍યો હતો.
આ કાર્યક્રમનું સંયોજન ગુજરાતી વિભાગના અધ્‍યક્ષ તથા સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિના સમન્‍વયક, ડૉ. ભાવેશ વાળા દ્વારા કરવામાં આવ્‍યું હતું. સરકારી કોલેજ દમણ આચાર્યશ્રીએ આ માટે શુભેચ્‍છા પાઠવી હતી
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપ્રદ રીતે ભાગ લીધો હતો. કાર્યક્રમની આભારવિધિ હિન્‍દી વિભાગના અધ્‍યક્ષ ડૉ. પુખરાજ જાંગિડ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment