July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

  • સાંજે લક્ષદ્વીપથી પરત ફરી સીધા સચિવાલય થઈ સેલવાસ હંકારી ગયેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • દેશના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક વિકાસનો પણ તાલમેલ જાળવતા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું આજે સાંજે લગભગ 4:00 વાગ્‍યે લક્ષદ્વીપથી દમણ ખાતે આગમન થયું હતું. તેઓએ એક ક્ષણનો પણ પોરો ખાધા વગર સાંજે નાની દમણ પાવર હાઉસના સચિવાલય ખાતે પહોંચી ગયા હતા અને ત્‍યાંથી સીધા સેલવાસ હંકારી ગયા હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ માટે ચિંતિત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાનો સર્વાંગી, સમતોલ અને લાક્ષણિક રીતે વિકાસ કરવાના આગ્રહી છે. દીવને ટૂરીસ્‍ટ હબ બનાવવાની સાથે દાદરા નગર હવેલીની આદિવાસી સંસ્‍કૃતિને જાળવી તેને પ્રવાસન વિકાસમાં સાંકળી ઔદ્યોગિક વિકાસના પક્ષધર છે. જ્‍યારે દમણને પ્રવાસન અનેઔદ્યોગિક નગરી બનાવવા પણ તેઓ ઉત્‍સુક જણાય છે. પ્રદેશનો ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક વિકાસ માટે પણ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનું શ્રેષ્‍ઠ દાયિત્‍વ નિભાવ્‍યું છે.

Related posts

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

Leave a Comment