-
સાંજે લક્ષદ્વીપથી પરત ફરી સીધા સચિવાલય થઈ સેલવાસ હંકારી ગયેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
દેશના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસનો પણ તાલમેલ જાળવતા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું આજે સાંજે લગભગ 4:00 વાગ્યે લક્ષદ્વીપથી દમણ ખાતે આગમન થયું હતું. તેઓએ એક ક્ષણનો પણ પોરો ખાધા વગર સાંજે નાની દમણ પાવર હાઉસના સચિવાલય ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંથી સીધા સેલવાસ હંકારી ગયા હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ માટે ચિંતિત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાનો સર્વાંગી, સમતોલ અને લાક્ષણિક રીતે વિકાસ કરવાના આગ્રહી છે. દીવને ટૂરીસ્ટ હબ બનાવવાની સાથે દાદરા નગર હવેલીની આદિવાસી સંસ્કૃતિને જાળવી તેને પ્રવાસન વિકાસમાં સાંકળી ઔદ્યોગિક વિકાસના પક્ષધર છે. જ્યારે દમણને પ્રવાસન અનેઔદ્યોગિક નગરી બનાવવા પણ તેઓ ઉત્સુક જણાય છે. પ્રદેશનો ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનું શ્રેષ્ઠ દાયિત્વ નિભાવ્યું છે.