July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

મુસાફરોને ટ્રેનમાં બેસી રહેવું પડયુ, અન્‍ય ટ્રેન પ્‍લેટફોર્મ નં.3 થી પસાર કરવામાં આવી : વલસાડથી નવો કોચ જોડી દેવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહેલી ડબ્‍બલ ડેકર ટ્રેનના એક કોચ નં.7માં યાંત્રિક ખામી વાપી રેલવે સ્‍ટેશન ઉપર સાંજના 5 વાગ્‍યાના સુમારે સર્જાઈ હતી. તેથી ટ્રેનને પ્‍લેટફોર્મ નં.1 ઉપર થોભાવી દેવાઈ હતી. મુસાફરો ટ્રેનમાં અટવાયા હતા. બાદમાં ટેકનિકલ સ્‍ટાફ દ્વારા યાંત્રિક ખામી સર્જાયેલ કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્‍યો હતો. બાદમાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં વલસાડથી નવો કોચ એડ કરીને રવાના કરવામાં આવશે તેવો રેલવેએ નિર્ણય લીધો હતો.
વાપી સ્‍ટેશન ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ડબ્‍બલ ડેકર ટ્રેન વાપીથી આગળ વધે તે પહેલા કોચ નં.સી-7 માં અચાનક યાંત્રિક ખામી સર્જાઈ હતી. તેથી ટ્રેનને થોભાવી દેવાઈ હતી. તુરંત ટેકનિકલ સ્‍ટાફને બોલાવાયો હતો. ટ્રેનમાંથી કોચને છુટો પાડવામાં આવ્‍યો હતો. ફરી અન્‍ય ડબ્‍બા યથાવત જોડી દેવાયા હતા અને ટ્રેનને વાપીથી રવાના કરાઈ હતી. વલસાડ સ્‍ટેશને ફરી થોભાવીને નવો કોચ એડ કરવાનો નિર્ણય લેવાયો હતો.ટ્રેનના ડબ્‍બામાં ખામી સર્જાતા મુસાફરોને કલાકો સુધી ડબ્‍બામાં બેસી રહેવું પડયું હતું. બીજી તરફ રેલવે આવાગમનને અસર ના પહોંચે તેથી તમામ ટ્રેન વાપી રેલવે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં.3 થી અવર જવર કરાવાઈ હતી. જો કે જો કે ઘટનામાં કોઈ મુસાફરોને કે અન્‍યને કોઈ હાની પહોંચી નહોતી.

Related posts

જનરેશન ગેપ એ એક ભ્રમ છે, અંધ બાપ પણ પોતાના દિકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે!

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

Leave a Comment