October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

મુસાફરોને ટ્રેનમાં બેસી રહેવું પડયુ, અન્‍ય ટ્રેન પ્‍લેટફોર્મ નં.3 થી પસાર કરવામાં આવી : વલસાડથી નવો કોચ જોડી દેવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહેલી ડબ્‍બલ ડેકર ટ્રેનના એક કોચ નં.7માં યાંત્રિક ખામી વાપી રેલવે સ્‍ટેશન ઉપર સાંજના 5 વાગ્‍યાના સુમારે સર્જાઈ હતી. તેથી ટ્રેનને પ્‍લેટફોર્મ નં.1 ઉપર થોભાવી દેવાઈ હતી. મુસાફરો ટ્રેનમાં અટવાયા હતા. બાદમાં ટેકનિકલ સ્‍ટાફ દ્વારા યાંત્રિક ખામી સર્જાયેલ કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્‍યો હતો. બાદમાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં વલસાડથી નવો કોચ એડ કરીને રવાના કરવામાં આવશે તેવો રેલવેએ નિર્ણય લીધો હતો.
વાપી સ્‍ટેશન ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ડબ્‍બલ ડેકર ટ્રેન વાપીથી આગળ વધે તે પહેલા કોચ નં.સી-7 માં અચાનક યાંત્રિક ખામી સર્જાઈ હતી. તેથી ટ્રેનને થોભાવી દેવાઈ હતી. તુરંત ટેકનિકલ સ્‍ટાફને બોલાવાયો હતો. ટ્રેનમાંથી કોચને છુટો પાડવામાં આવ્‍યો હતો. ફરી અન્‍ય ડબ્‍બા યથાવત જોડી દેવાયા હતા અને ટ્રેનને વાપીથી રવાના કરાઈ હતી. વલસાડ સ્‍ટેશને ફરી થોભાવીને નવો કોચ એડ કરવાનો નિર્ણય લેવાયો હતો.ટ્રેનના ડબ્‍બામાં ખામી સર્જાતા મુસાફરોને કલાકો સુધી ડબ્‍બામાં બેસી રહેવું પડયું હતું. બીજી તરફ રેલવે આવાગમનને અસર ના પહોંચે તેથી તમામ ટ્રેન વાપી રેલવે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં.3 થી અવર જવર કરાવાઈ હતી. જો કે જો કે ઘટનામાં કોઈ મુસાફરોને કે અન્‍યને કોઈ હાની પહોંચી નહોતી.

Related posts

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah

Leave a Comment