April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

વલસાડથી 40 ગામોને જોડતો ઔરંગા નદી પુલ અવર જવર માટે બંધ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04V વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ બેસુમાર વલસાડથી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવી ચૂક્‍યા છે. જાહેરજનજીવન અને અવર જવર અતિ પ્રભાવિત બની ચૂકી છે. વરસાદે માજા મુકી દેતા જ્‍યાં જુઓ ત્‍યાં માનવી લાચાર બની ચૂક્‍યો છે. જિલ્લામાં સિઝનનો એવરેજ વરસાદ 75 ઈંચ જેટલો પડી ચૂક્‍યો છે.
વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર હવે આફત બની ચૂકી છે. જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન અને માન નદીઓ બે કાંઠે વહી રહી છે. ઘોડાપુરની સ્‍થિતિ સર્જાઈ છે. તમામ નદીઓ ઉપર નાના મોટા પુલ તેમજ અને કોઝવે બંધાયેલા છે. આ તમામ પુલ, કોઝવે ડૂબી ગયા હોવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. લોકોનો ધંધો રોજગાર વરસાદે ઠપ્‍પ કરી દીધો છે. તેથી વરસાદ વરદાનની જગ્‍યાએ આફતરૂપ બની ગયો છે. વલસાડ શહેરની હાલત વધુ કફોડી બની ચૂકી છે. કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદી ભયજનક સપાટી વટાવતા પ્રશાસન દ્વારા અવર જવર માટે બંધ કરી દેવાયો છે. ઔરંગા નદી પરના પુલની પ્રત્‍યેક ચોમાસામાં આ સ્‍થિતિ ઉભી થઈ છે. પણ પ્રશાસન, એમ.એલ.એ., એમ.પી. અને રાજકારણીઓના પેટનું પાણી હાલતું નથી. ઔરંગા નદી પુલથી ખેરગામ તરફના 40 જેટલા ગામોની અવરજવર અટકી પડી છે. 15 થી 20 કિ.મી.નો ચકરાવો લોકોને મારવો પડે છે. આ વર્ષે અષાઢમાં બારે મેઘ ખાંગા થઈ ચૂક્‍યા છે. વધુ વરસાદથી ખેતીવાડી પણ પ્રભાવિત થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં અતિથી અતિ ભારે વરસાદ જિલ્લામાં વરસ્‍યો છે અને આજે રવિવારે પણ ચાલું જ છે.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

vartmanpravah

આલ્‍કેમ લેબોરેટરીઝના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત દમણમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શરૂ કરેલા સિવણ કામના વર્ગો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

Leave a Comment