(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં વિભાગોમાં સમન્વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવામાં સૂચના અને પ્રોદ્યોગિકી વિભાગ અને એન.આઈ.સી.દ્વારા વિકસાવવામાં આવેલ આઈસીએમએસ (ઇન્ટિગ્રેટેડ કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ)ને રજત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ અને વિભાગોની દેખરેખ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આ આઈસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, આઈટી વિભાગને 231 અરજદારોની પ્રતિસ્પર્ધામાં આ એવોર્ડ મળ્યો હતો.