October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

14મી જાન્‍યુઆરીએ ટ્રેક ઉપર એક સિમેન્‍ટ પોલ કોઈ ઈસમોએ ગોઠવ્‍યો હતો : 35 શકમંદોની તપાસ ચાલુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
અતુલ રેલવે સ્‍ટેશન નજીક ગત તા.14મી જાન્‍યુઆરીએ રાજધાની એક્‍સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર રચાયું હતું. ટ્રેન ટ્રેક ઉપર એક સિમેન્‍ટનો પોલ ગોઠવી દેવાયો હતો. જેથી ટ્રેન ઉતલી પડે પરંતુ એન્‍જીનની ટક્કરમાં પોલના ટુકડા થઈ જતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ઘટનાની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ બે દિવસથી ચાલી રહી છે.
અતુલ સ્‍ટેશન નજીક કોઈ ભાંગફોડીયા તત્ત્વો દ્વારા રેલવે ટ્રેક ઉપર 14મી જાન્‍યુઆરીએ એક સિમેન્‍ટનો પોલ ગોઠવીને સાંજના 5 કલાકે પસાર થતી સુપર ફાસ્‍ટ રાજધાની ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્રરચી નાખેલું હતું. જો કે પોલ એન્‍જીનની ટક્કરમાં તૂટી ગયો હતો. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ અમદાવાદ એ.ટી.એસ. ટીમ, વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી., જી.આર.પી. અને આર.પી.એફ.ના પોલીસ અધિકારીઓની ઉચ્‍ચ ટીમે ઝીણવટભરી તપાસ તાકીદે શરૂ કરી દીધી હતી. આજુબાજુના 500 ઉપરાંત લોકો, રેલવેના મજુરોની ચાંપતી પૂછપરછ કરાઈ હતી. જેમાં 35 જેટલા શકમંદો હાલ પોલીસ રિહાસતમાં રખાયા છે. પોલીસ ઘટનાનો ઊંડાણપૂર્વક તાગ કાઢીને ષડયંત્રનો પર્દાફાસ કરવા ગંભીર રીતે કટીબધ્‍ધ બની ચૂકી છે.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment