Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

લગાતાર 300 ઉપરાંત કેસ નોંધાતા હતા આ રફતાર અટકી છે. મંગળવારે 340 દર્દીઓને ડીસ્‍ચાર્જ કરાતા રાહત
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો લગાતાર રોકેટ ગતિની રફતારથી પાછલા સપ્તાહમાં વધી રહ્યા હતા. આ રફતારને સોમવારે ધીમી પડી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાતા વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
ગયા સપ્તાહમાં વલસાડ જિલ્લામાં કોરોનાની જબરજસ્‍થ ઉથલપાથલ ચાલતી રહેલી દરરોજ 300 થી 400 ની આસપાસમાં નવા પોઝિટિવ કેસો નોંધાતા રહ્યા હતા. સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ કોરોનાની રફતાર આજે અટકી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાયા છે અને તેની સામે 340 જેટલા દર્દીઓ સાજા થતા ડીસ્‍ચાર્જ અપાયો છે તે મોટા રાહતના સમાચાર છે. આજે નવા નોંધાયેલા દર્દીઓમાં વલસાડમાં 75, પારડીમાં 07, વાપીમાં 15, ઉમરગામમાં 05, ધરમપુરમાં 29 અને કપરાડામાં 10 નો સમાવેશ થાય છે. હાલમાં એક્‍ટીવ કેસ 2263 છે. સોમવારે 1 દર્દીનું મોત નિપજ્‍યું છે. અત્‍યાર સુધીમાં કુલ પોઝિટિવ 11279 દર્દીઓ નોંધાયા છે જે પૈકી8538ને ડીસ્‍ચાર્જ આપી દેવાયો છે.

Related posts

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

vartmanpravah

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

Leave a Comment