March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

લગાતાર 300 ઉપરાંત કેસ નોંધાતા હતા આ રફતાર અટકી છે. મંગળવારે 340 દર્દીઓને ડીસ્‍ચાર્જ કરાતા રાહત
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો લગાતાર રોકેટ ગતિની રફતારથી પાછલા સપ્તાહમાં વધી રહ્યા હતા. આ રફતારને સોમવારે ધીમી પડી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાતા વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
ગયા સપ્તાહમાં વલસાડ જિલ્લામાં કોરોનાની જબરજસ્‍થ ઉથલપાથલ ચાલતી રહેલી દરરોજ 300 થી 400 ની આસપાસમાં નવા પોઝિટિવ કેસો નોંધાતા રહ્યા હતા. સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ કોરોનાની રફતાર આજે અટકી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાયા છે અને તેની સામે 340 જેટલા દર્દીઓ સાજા થતા ડીસ્‍ચાર્જ અપાયો છે તે મોટા રાહતના સમાચાર છે. આજે નવા નોંધાયેલા દર્દીઓમાં વલસાડમાં 75, પારડીમાં 07, વાપીમાં 15, ઉમરગામમાં 05, ધરમપુરમાં 29 અને કપરાડામાં 10 નો સમાવેશ થાય છે. હાલમાં એક્‍ટીવ કેસ 2263 છે. સોમવારે 1 દર્દીનું મોત નિપજ્‍યું છે. અત્‍યાર સુધીમાં કુલ પોઝિટિવ 11279 દર્દીઓ નોંધાયા છે જે પૈકી8538ને ડીસ્‍ચાર્જ આપી દેવાયો છે.

Related posts

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

Leave a Comment