Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશ

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

અનુસૂચી અંતર્ગત પંચાયત અને ગામમાં સરપંચને જાણ કરવા વગર સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે નહી

 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.01
નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5નો ઠરાવનું થયું અમલીકરણ અનુસૂચિ 5 વિસ્‍તારમાં આ કાયદાનું ઉલ્લઘન કરશે તો કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ પોલીસ પટેલ તરીકે પંકજ પટેલની નિમુણુંક કરવામાં આવી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઠરાવ કરી ગામમાં અનુસૂચિ-5નું બોર્ડ ગામ લોકો દ્વારા લગાવી તેના અમલીકરણ માટે ગ્રામજનોએ સંકલ્‍પ લીધો હોવાના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાદડવેલ ગામમાં ગ્રામ સભામાં ઠરાવ કરી ગામમાં 5 અનુસૂચિનું બોર્ડ લગાવીતેનું અમલીકરણ કાર્યું છે આ અનુસૂચી અંતર્ગત ગામમાં સરપંચને જાણ કર્યા બાદ જ સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે. તેમજ ડીજીવીસીએલનું ચેકીંગ વાળા પણ જાણ કર્યા પછી જ ગામમાં પ્રવેશ કરી શકશે. 
આ ઉપરાંત ઠરાવોમાં બિરસા મુંડા સ્‍થાપના માટે જગ્‍યાનો ઠરાવ, આધુનિક સ્‍મશાનનો ઠરાવ,ગામમાં કંપની કે ફેક્‍ટરીમાં 80ટકા ગામના લોકોનો સમાવેશ, તળાવો ઊંડા કરવા ,રસ્‍તા પાણી વગેરે ઠરાવો, કેરોસીન ફરીથી ગામ લોકોને મળે તેનો ઠરાવ, ગામનો સ્‍થાનિક ખેડૂત સિવાય જમીન લે વેચ કરે તો 1 ટકા રકમ લેનાર અને વેચનાર પંચાયતમાં લોક ફાળો આપવાનું નક્કી થયું હતું.

Related posts

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

Leave a Comment