September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

વલસાડ તા.૦6: ભારત સરકારના જળ શક્‍તિ/પેયજળ સ્‍વછતા મંત્રાલયના વિભાગ દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વ્‍યક્‍તિગત શૌચાલયોનો લાભ ભારત સરકાર તરફથી તમામ રાજ્‍યોમાં તેમજ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો લાભ આપવામાં આવ્‍યો છે. ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના તમામ ગામોમાં વ્‍યક્‍તિગત શૌચાલયનો લાભ આપવામાં આવ્‍યો છે. આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ રીતે પાર પાડવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી વલસાડ અને અતુલ કંપની પ્રા. લિ.ના એકબીજાના પરસ્‍પર હકારાત્‍મક અભિગમ અપનાવી ખુલ્લામાં શૌચક્રિયા મુક્‍ત સ્‍થિતિને જાળવી રાખવા માટે શૌચાલયનો દરવાજો જર્જરિત હોય, દીવાલમાં તિરાડ/ દીવાલ પડી ભાંગી હોય, બે શોષખાડાની જગ્‍યાએ એક જ શોષખાડો હોય, પાણીની ટાંકી તેમજ નળ કનેક્ષન જેવી જર્જરીત અવસ્‍થામાં હોવાથી ખુલ્લામાં શૌચક્રિયાને મુક્‍ત કરવા માટે શૌચાલયોની પુનઃરચના/ પુનઃનિર્માણ માટેની સુધારાની કામગીરી કરાશે. આ કામગીરીને રેટ્રોફિટિંગ કહેવામા આવે છે.

વલસાડ જિલ્લાના ગામોમાં અતુલ કંપની હસ્‍તક કુલ – ૩૬૭ જર્જરિત વ્‍યક્‍તિગત શૌચાલયો કંપનીના સી.એસ.આર. ફંડ હેઠળ સામાજિક ઉત્તરદાયિત્‍વ સમજીને વ્‍યક્‍તિગત શૌચાલયોની મરામત કરી સુચારુ આયોજનના ભાગરૂપે પુનઃ ઉપયોગમાં લઈ શકે તે માટે રેટ્રોફિટિંગની ખૂબ જ સરાહનીય કામગીરી હાલમાં ચાલી રહી છે. જે પરિણામલક્ષી અને ફળશ્રુતિના ભાગરૂપે અતુલ કંપની ધ્‍વારા કરેલ જાહેર સેવાના હિતમાં અને આરોગ્‍યને લક્ષમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ તેમજ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment