June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

વલસાડ તા.૦6: ભારત સરકારના જળ શક્‍તિ/પેયજળ સ્‍વછતા મંત્રાલયના વિભાગ દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વ્‍યક્‍તિગત શૌચાલયોનો લાભ ભારત સરકાર તરફથી તમામ રાજ્‍યોમાં તેમજ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો લાભ આપવામાં આવ્‍યો છે. ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના તમામ ગામોમાં વ્‍યક્‍તિગત શૌચાલયનો લાભ આપવામાં આવ્‍યો છે. આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ રીતે પાર પાડવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી વલસાડ અને અતુલ કંપની પ્રા. લિ.ના એકબીજાના પરસ્‍પર હકારાત્‍મક અભિગમ અપનાવી ખુલ્લામાં શૌચક્રિયા મુક્‍ત સ્‍થિતિને જાળવી રાખવા માટે શૌચાલયનો દરવાજો જર્જરિત હોય, દીવાલમાં તિરાડ/ દીવાલ પડી ભાંગી હોય, બે શોષખાડાની જગ્‍યાએ એક જ શોષખાડો હોય, પાણીની ટાંકી તેમજ નળ કનેક્ષન જેવી જર્જરીત અવસ્‍થામાં હોવાથી ખુલ્લામાં શૌચક્રિયાને મુક્‍ત કરવા માટે શૌચાલયોની પુનઃરચના/ પુનઃનિર્માણ માટેની સુધારાની કામગીરી કરાશે. આ કામગીરીને રેટ્રોફિટિંગ કહેવામા આવે છે.

વલસાડ જિલ્લાના ગામોમાં અતુલ કંપની હસ્‍તક કુલ – ૩૬૭ જર્જરિત વ્‍યક્‍તિગત શૌચાલયો કંપનીના સી.એસ.આર. ફંડ હેઠળ સામાજિક ઉત્તરદાયિત્‍વ સમજીને વ્‍યક્‍તિગત શૌચાલયોની મરામત કરી સુચારુ આયોજનના ભાગરૂપે પુનઃ ઉપયોગમાં લઈ શકે તે માટે રેટ્રોફિટિંગની ખૂબ જ સરાહનીય કામગીરી હાલમાં ચાલી રહી છે. જે પરિણામલક્ષી અને ફળશ્રુતિના ભાગરૂપે અતુલ કંપની ધ્‍વારા કરેલ જાહેર સેવાના હિતમાં અને આરોગ્‍યને લક્ષમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ તેમજ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

Related posts

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment