April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

વલસાડ તા.૦6: ભારત સરકારના જળ શક્‍તિ/પેયજળ સ્‍વછતા મંત્રાલયના વિભાગ દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વ્‍યક્‍તિગત શૌચાલયોનો લાભ ભારત સરકાર તરફથી તમામ રાજ્‍યોમાં તેમજ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો લાભ આપવામાં આવ્‍યો છે. ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના તમામ ગામોમાં વ્‍યક્‍તિગત શૌચાલયનો લાભ આપવામાં આવ્‍યો છે. આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ રીતે પાર પાડવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી વલસાડ અને અતુલ કંપની પ્રા. લિ.ના એકબીજાના પરસ્‍પર હકારાત્‍મક અભિગમ અપનાવી ખુલ્લામાં શૌચક્રિયા મુક્‍ત સ્‍થિતિને જાળવી રાખવા માટે શૌચાલયનો દરવાજો જર્જરિત હોય, દીવાલમાં તિરાડ/ દીવાલ પડી ભાંગી હોય, બે શોષખાડાની જગ્‍યાએ એક જ શોષખાડો હોય, પાણીની ટાંકી તેમજ નળ કનેક્ષન જેવી જર્જરીત અવસ્‍થામાં હોવાથી ખુલ્લામાં શૌચક્રિયાને મુક્‍ત કરવા માટે શૌચાલયોની પુનઃરચના/ પુનઃનિર્માણ માટેની સુધારાની કામગીરી કરાશે. આ કામગીરીને રેટ્રોફિટિંગ કહેવામા આવે છે.

વલસાડ જિલ્લાના ગામોમાં અતુલ કંપની હસ્‍તક કુલ – ૩૬૭ જર્જરિત વ્‍યક્‍તિગત શૌચાલયો કંપનીના સી.એસ.આર. ફંડ હેઠળ સામાજિક ઉત્તરદાયિત્‍વ સમજીને વ્‍યક્‍તિગત શૌચાલયોની મરામત કરી સુચારુ આયોજનના ભાગરૂપે પુનઃ ઉપયોગમાં લઈ શકે તે માટે રેટ્રોફિટિંગની ખૂબ જ સરાહનીય કામગીરી હાલમાં ચાલી રહી છે. જે પરિણામલક્ષી અને ફળશ્રુતિના ભાગરૂપે અતુલ કંપની ધ્‍વારા કરેલ જાહેર સેવાના હિતમાં અને આરોગ્‍યને લક્ષમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ તેમજ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

Leave a Comment