Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),તા.03
ચીખલી તાલુકાના ઘેજ ગામે ખરેરા નદીના તટે સ્‍વયંભુ બિરાજમાન શ્રી પંચમુખી હનુમાન દાદાના પૌરાણિક મંદિર તરફ જતો માર્ગ છેલ્લા કેટલાક વર્ષથી અત્‍યંતજર્જરિત બન્‍યો હતો. આ માર્ગ શ્રધ્‍ધાળુઓ ઉપરાંત ખેડૂતો માટે પણ ખૂબ ઉપયોગી હોય નવીનિકરણ માટેની માંગ કરાઈ રહી હતી. આ દરમ્‍યાન આજરોજ કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્‍ય સેજલબેન, સરપંચ રાકેશભાઈ, ડેપ્‍યુટી સરપંચ ગૌરાંગભાઈ સોલંકી, શક્‍તિ કેન્‍દ્રના પ્રમુખ વિનોદભાઈ, પૂર્વ સરપંચ પદ્માબેન, ભાજપના મહિલા મોરચાના મહામંત્રી અનસૂયાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં શ્રીફળ વધેરી આ માર્ગના નવીનીકરણનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે ઘણાં લાંબા સમયથી આ માર્ગના રિકાર્પેટની માંગણી હતી. જે સરકારની બે અલગ અલગ યોજનામાં સાત લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ દરમ્‍યાન ગામના અન્‍ય વિકાસના કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ખાતમુહૂર્ત દરમ્‍યાન પૂર્વ ડેપ્‍યુટી સરપંચ કમલેશભાઈ સહિતના અને સ્‍થાનિક પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment