July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

  • સમાજના આગેવાન અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા અતિથિ ગૃહના નિર્માણ માટે માહ્યાવંશી વિકાસને મંચને કરાયેલું ભૂમિદાન

  • માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા કર્મયોગી મનહરભાઈ પટેલના પ્રયાસોથી સમાજ એક તાંતણે બંધાતા સમાજના વિકાસનો વધી રહેલો વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી,તા.03
અગામી શનિવારે સવારે 10:30 કલાકે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મહારાષ્‍ટ્રના કાજલી – તલાસરી ખાતે આવેલ સ્‍થળે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહના ભૂમિ પૂજનનું આયોજન કરાયું છે.
ગુજરાતથી જતા મુંબઈ બોર્ડર ઉપર નેશનલ હાઈવે નં.48 હોટલ સહ્યાદ્રીની સામે ચાણક્‍ય નગરી, કાજલી-તલાસરી ખાતે આગેવાન સમાજ સેવક અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા કરાયેલા ભૂમિદાન ઉપર સમસ્‍ત માહ્યાવંશી સમાજ માટે માહ્યાવંશી વિકાસ મંચના નેજા હેઠળ અતિથિ ગૃહના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. જેનું ભૂમિ પૂજન શનિવારના 10:30 કલાકે નિર્ધારિત કરાયું છે.
અત્રે નોંધનીય છે કે, માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા અને કર્મયોગી શ્રી મનહરભાઈ પટેલના પ્રયાસથી સમસ્‍ત સમાજને એક તાંતણે બાંધી આજે સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતું કરવા સફળ રહ્યા છે.
દેશ-વિદેશમાં રહેતા માહ્યાવંશી સમાજના લાખો લોકો નેશનલ હાઈવે નંબર 48થી પસાર થશે ત્‍યારે આન બાન અને શાનના સ્‍વરૂપમાં માહ્યાવંશી સમાજનું અતિથિ ગૃહ આપની રાહ જોતું હશે.
માહ્યાવંશી સમાજે અતિથિ ગૃહના નિર્માણનું કરેલું આયોજન આવતા દિવસોમાં દેશના પ્રગતિશીલ સમાજ માટે પણ પ્રેરક બનશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

vartmanpravah

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

ઈનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરની બે ટીમ ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્‍ટ ઈનફિનિયમ 2023: ‘‘એન્‍ડલેસ ઈનોવેશન રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા થઈ

vartmanpravah

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment