Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

  • સમાજના આગેવાન અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા અતિથિ ગૃહના નિર્માણ માટે માહ્યાવંશી વિકાસને મંચને કરાયેલું ભૂમિદાન

  • માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા કર્મયોગી મનહરભાઈ પટેલના પ્રયાસોથી સમાજ એક તાંતણે બંધાતા સમાજના વિકાસનો વધી રહેલો વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી,તા.03
અગામી શનિવારે સવારે 10:30 કલાકે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મહારાષ્‍ટ્રના કાજલી – તલાસરી ખાતે આવેલ સ્‍થળે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહના ભૂમિ પૂજનનું આયોજન કરાયું છે.
ગુજરાતથી જતા મુંબઈ બોર્ડર ઉપર નેશનલ હાઈવે નં.48 હોટલ સહ્યાદ્રીની સામે ચાણક્‍ય નગરી, કાજલી-તલાસરી ખાતે આગેવાન સમાજ સેવક અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા કરાયેલા ભૂમિદાન ઉપર સમસ્‍ત માહ્યાવંશી સમાજ માટે માહ્યાવંશી વિકાસ મંચના નેજા હેઠળ અતિથિ ગૃહના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. જેનું ભૂમિ પૂજન શનિવારના 10:30 કલાકે નિર્ધારિત કરાયું છે.
અત્રે નોંધનીય છે કે, માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા અને કર્મયોગી શ્રી મનહરભાઈ પટેલના પ્રયાસથી સમસ્‍ત સમાજને એક તાંતણે બાંધી આજે સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતું કરવા સફળ રહ્યા છે.
દેશ-વિદેશમાં રહેતા માહ્યાવંશી સમાજના લાખો લોકો નેશનલ હાઈવે નંબર 48થી પસાર થશે ત્‍યારે આન બાન અને શાનના સ્‍વરૂપમાં માહ્યાવંશી સમાજનું અતિથિ ગૃહ આપની રાહ જોતું હશે.
માહ્યાવંશી સમાજે અતિથિ ગૃહના નિર્માણનું કરેલું આયોજન આવતા દિવસોમાં દેશના પ્રગતિશીલ સમાજ માટે પણ પ્રેરક બનશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

પારડીના કોટલાવમાં રસ્‍તા બાબતે મારામારી

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બર્ખાસ્‍ત કરવાનો લીધેલો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક : પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment