March 3, 2026
Vartman Pravah
Breaking Newsખેલગુજરાતવલસાડવાપી

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી,તા.11

વાપીના ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા(કે.બી.એસ.) કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમતમાં પણ આગળ વધી શકે તે માટે વિવિધ રમતોમાં ખુબ જ સારી તાલીમ પણ આપવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત એન.એચ. શાહ કોમર્સ કોલેજ, વલસાડ ખાતે ઈન્‍ટર કોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં વિવિધ કોલેજના પ્‍લેયરોએ ભાગ લીધો હતો. જેમાં કે.બી.એસ. કોલેજના (1) નજીબ મારીયા (એસ.વાય.બીકોમ.), (2) અશોકા સિંગ(એસ.વાય.બીકોમ.), (3) દેસલે સ્‍નેહલ (ટી.વાય.બીકોમ.) ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી હેન્‍ડબોલ(ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટમાં પસંદગી પામી છે. જેઓ આઈઆઈએસ યુનિવર્સિટી જયપુર ખાતે ભાગ લેશે.
આ રમતની સમગ્ર તાલીમ તેમજ માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ડો. મયુર પટેલે પુરુ પાડયું હતું. આમ કોલેજનું નામ યુનિવર્સિટીમાં રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે સમગ્ર પ્‍લેયરોનો તેમજ મયુર પટેલનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ કોલેજનું નામ રોશન કરવા અને જીવનમાં ઉજ્જળભવિષ્‍ય બનાવી શકે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment