December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્‍ટના વિરોધમાં જાહેર સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11
નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્‍ટનો આદિવાસી પૂર્વ પટ્ટીમાં જોરદાર ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ધરમપુરમાં યોજાયેલ આદિવાસીઓની પ્રચંડ રેલી બાદ આજે ડાંગ-વઘઈમાં રીવર લિંક પ્રોજેક્‍ટનો વિરોધ કરવા આદિવાસીઓની ઘોડાપુર રેલી જાહેરસભામાં ઉમટી પડી હતી.
વઘઈના ધારાસભ્‍ય અનંત પટેલના નેતૃત્‍વમાં રીવર લિંક પ્રોજેક્‍ટના વિરોધમાં આજે શુક્રવારે વઘઈમાં મહાસભા અને રેલીનું આયોજન કરાયું હતું. તેમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટી પડયુંહતું. ઉલ્લેખનીય છે કે, સંસદ અંદાજપત્ર બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્‍ટની જાહેરાત અને નાણાંની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. બજેટમાં થયેલી આ જાહેરાત બાદ તેના પ્રત્‍યાઘાતો ખાસ કરીને પૂર્વ પટ્ટી ડાંગ, ધરમપુર, આહવા, કપરાડા આદિવાસી વિસ્‍તારમાં પડયા હતા. થોડા દિવસ પૂર્વે ધરમપુરમાં પણ મોટી સંખ્‍યામાં આદિવાસી રેલી યોજાઈ હતી તે મુજબ આજે વઘઈ બિરસા મુંડા ગ્રાઉન્‍ડમાં ડેમના વિરોધમાં રેલી યોજાઈ હતી. રેલીને સંબોધતા ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, નિર્મલા સીતારમણ સંસદમાં અંગ્રેજીમાં ભલે બોલી ગયા હોય પણ આપણે અંગ્રેજી નથી જાણતા. રીવર લિંક પ્રોજેક્‍ટથી આપણી જમીનો જશે, આપણે બેઘર થઈશું તેવુ જણાવી તેમણે ‘‘ડેમ હટાવો ડાંગ બચાવો”નો સુત્રોચ્‍ચાર કરાવ્‍યો હતો. સભામાં પરંપરાગત ઉમટેલા આદિવાસીઓ નૃત્‍ય પણ કરતા જોવા મળ્‍યા હતા.

Related posts

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

Leave a Comment