December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવસેલવાસ

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના રખોલી હાયર સેકન્‍ડરી શાળા પરિસરમાં રખોલી અને સુરંગી શાળાના સંયુક્‍ત ધોરણ 10 અને બારના બાળકો માટે માતૃ-પિતૃ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનું ઉદ્‌ઘાટન મહેમાનોના હસ્‍તે દીપપ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. બાદમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદન કરવામા આવ્‍યુ હતુ.
પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામીએ ઉપસ્‍થિત બાળકો અને વાલીઓને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, જીવનની પૂર્ણતા ત્‍યારે છે, જયારે શિક્ષણ સાથે સંસ્‍કારનુ સંગમ હોય અગર સંસ્‍કાર નહિ હોય તો શિક્ષણ નિરાધાર હોય છે અને માતૃ-પિતૃ વંદન જેવા કાર્યક્રમના માધ્‍યમ દ્વારા બાળકોમા સંસ્‍કારનું સંચાર થઇ શકે છે. કારણકે જ્‍યાં સુધી કોઈ વિદ્યાર્થી પોતાના માતા – પિતાને વંદન અથવા સન્‍માન નહી કરી શકે તે સમાજમા કોઈપણ વ્‍યક્‍તિનું સન્‍માન નહી કરી શકે,જેથી દિવસની શરૂઆત પ્રથમ ગુરુના રૂપે માતાપિતા જ હોવા જોઈએ.જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાને પણ શિક્ષણ સાથે બાળકોમા સંસ્‍કાર આપવા માટે માતા – પિતાને આહવાન કર્યું હતુ.
આ અવસરે પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામી, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાન, સરપંચ શ્રી ચંદન પટેલ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી ગૌરાંગ વોરા, શાળાના આચાર્ય શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

Leave a Comment