March 3, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્‍તારમાં મળેલ ફરિયાદના આધારે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવામા આવ્‍યું હતું.
બોમ્‍બે ગાર્ડન સોસાયટીના મકાનમા ગટરના પાણી ઘુસી રહ્યા હોવાની ફરિયાદના આધારે તપાસ કરતા સોસાયટીના કેટલાક વ્‍યક્‍તિઓ દ્વારા ઘરની બ્‍હાર ગેરકાયદેસરબાંધકામ કરવામા આવી હતી. બીજી જગ્‍યા નિખિલ અધેસિવ કંપની પીપરીયાની સામે પણ ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્‍યું હતુ અને પ્રથમેશ સોસાયટીની પાછળ વધારાનો શેડ બનાવવામા આવ્‍યો હતો. આ ત્રણે જગ્‍યા પર નગરપાલિકાની પરમિશન વગર બાંધકામ કરવામા આવેલ અને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ અને દમણ-દીવ નગરપાલિકા વિનિયમન 2004નો ઉલ્લંઘન કરવામા આવેલ છે. જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસર ડો.મનોજ કુમાર પાંડેયના આદેશાનુસાર આ ગેરકાયદેસર બાંધકામોને પાલિકા ઈજનેર શ્રી વિજયસિંહ પરમાર, પાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્‍ત સાથે ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાએ દરેક ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેઓને પોતાનું ગેરકાયદેસર બાંધકામ પોતે જ હટાવી દેવા માટે સૂચિત કરવામા આવ્‍યા છે. નહિ તો પાલિકા દ્વારા તેઓ સામે કાર્યવાહી કરવામા આવશે.

Related posts

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

Leave a Comment