Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

સદ્‌નસીબે મોટી દુર્ઘટના ટળી : મુસાફરોના જીવ પડીકે બંધાઈ ચૂક્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નાસિકથી વલસાડ આવવા નિકળેલી એસ.ટી. બસને અકસ્‍માત નડયો હતો. નાસિક હાઈવે માંડવા અક્ષા હોટલ પાસે કપરાડા ઘાટ ઉતરતા બસની બ્રેક ફેઈલ થતા બસ ડીવાઈડર ઉપર ચઢી જઈ અટકી પડતા મોટી દુર્ઘટના ટળી હતી.
કપરાડા કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. જોખમી વળાંકો ધરાવતા આ ઘાટ ઉપર નિરંતર વાહનોના અકસ્‍માતો સર્જાતા રહે છે. આજે નાસિકથી વલસાડ આવી રહેલી બસ નં.જીજે 18 ઝેડ 6806 કુંભઘાટ ઉપર બ્રેક ફેઈલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો. બસ સદ્‌નસીબે રોડના ડિવાઈડર ઉપર ચઢી અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ડિવાઈડર ઉપર બસ અટકીના હોત તો પલટી મારી જાત અસ્‍માતમાં બસમાં બેઠેલા મુસાફરો બુમાબુમ કરી મુકી હતી. જો કે સલામત રીતે તમામ મુસાફરો બસની બહાર નિકળી આવતા શાંતિ અનુભવી હતી.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

Leave a Comment