April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે મુખ્‍ય વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલની અધ્‍યક્ષતામાં ડોકમરડી સરકારી કોલેજ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ અવસરે વન વિભાગના અધિકારી શ્રી કિરણ પરમાર, શ્રી વિજય પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ શ્રી પ્રશાંત રાજાગોપાલેજણાવ્‍યું હતું કે આગામી દિવસોમા દાદરા નગર હવેલીને હરિયાળી બનાવવા મોટાપાયે વૃક્ષારોપણ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક વનીકરણ હેઠળ ફડાવ ઝાડોની કીટ અપાશે. આ ઝુંબેશમાં પંચાયતો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્‍થાઓ, શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સાથે ભાગીદારી નોંધાવશે.

Related posts

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment