January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે મુખ્‍ય વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલની અધ્‍યક્ષતામાં ડોકમરડી સરકારી કોલેજ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ અવસરે વન વિભાગના અધિકારી શ્રી કિરણ પરમાર, શ્રી વિજય પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ શ્રી પ્રશાંત રાજાગોપાલેજણાવ્‍યું હતું કે આગામી દિવસોમા દાદરા નગર હવેલીને હરિયાળી બનાવવા મોટાપાયે વૃક્ષારોપણ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક વનીકરણ હેઠળ ફડાવ ઝાડોની કીટ અપાશે. આ ઝુંબેશમાં પંચાયતો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્‍થાઓ, શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સાથે ભાગીદારી નોંધાવશે.

Related posts

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

Leave a Comment