July 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે મુખ્‍ય વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલની અધ્‍યક્ષતામાં ડોકમરડી સરકારી કોલેજ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ અવસરે વન વિભાગના અધિકારી શ્રી કિરણ પરમાર, શ્રી વિજય પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ શ્રી પ્રશાંત રાજાગોપાલેજણાવ્‍યું હતું કે આગામી દિવસોમા દાદરા નગર હવેલીને હરિયાળી બનાવવા મોટાપાયે વૃક્ષારોપણ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક વનીકરણ હેઠળ ફડાવ ઝાડોની કીટ અપાશે. આ ઝુંબેશમાં પંચાયતો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્‍થાઓ, શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સાથે ભાગીદારી નોંધાવશે.

Related posts

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

Leave a Comment