September 2, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે મુખ્‍ય વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલની અધ્‍યક્ષતામાં ડોકમરડી સરકારી કોલેજ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ અવસરે વન વિભાગના અધિકારી શ્રી કિરણ પરમાર, શ્રી વિજય પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ શ્રી પ્રશાંત રાજાગોપાલેજણાવ્‍યું હતું કે આગામી દિવસોમા દાદરા નગર હવેલીને હરિયાળી બનાવવા મોટાપાયે વૃક્ષારોપણ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક વનીકરણ હેઠળ ફડાવ ઝાડોની કીટ અપાશે. આ ઝુંબેશમાં પંચાયતો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્‍થાઓ, શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સાથે ભાગીદારી નોંધાવશે.

Related posts

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment