June 13, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

  • કોરોના રોગચાળાના કારણે લાગેલા ગ્રહણથી પ્રોજેક્‍ટોની ગતિ ધીમી રહેવા છતાં હવે પકડેલી રફતાર

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍માર્ટ સીટી સેલવાસની કાયાપલટ માટે આદરેલા પોતાના શ્રેષ્‍ઠપ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21
ભારત સરકાર દ્વારા સેલવાસનો સ્‍માર્ટ સીટી યોજનામાં કરાયેલા સમાવેશથી સેલવાસની સકલ અને સૂરત બદલાય રહી છે. કોરોના રોગચાળાના કારણે લાગેલા ગ્રહણથી કેટલાક પ્રોજેક્‍ટોની ગતિ ધીમી રહેવા છતાં અગામી ચોમાસા પહેલા લગભગ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો પૂર્ણ થશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 800 મીટરથી વધુ લાંબા સેલવાસ-નરોલી રીંગરોડમાં નરોલી તરફ 225 મીટર આરસીસી કામની સાથે નરોલી તરફ 300 મીટર અને સેલવાસ તરફ 330 મીટરનો ફલાય ઓવર બ્રીજ અગામી ચોમાસા પહેલા પૂર્ણ થવાની સંભાવના છે. આ બ્રીજ નીચેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર ત્રણ બ્રીજ બની રહ્યા છે. જેમાં પીપરીયા ખાતેના બ્રીજની ઓળખ જંકશન-જી તરીકે કરવામાં આવશે, સામરવરણી બ્રીજને જંકશન-બી અને યાત્રી નિવાસ સેલવાસ-નરોલી બ્રીજને જંકશન-એ તરીકે હાલ ઓળખ આપવામાં આવી છે. આ ત્રણેય બ્રીજ રૂા.77.રર કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે. બ્રીજની બંને બાજુ 8 મીટરનો સર્વિસ રોડ બનશે અને એની સાથે 1.પ મીટરના ફૂટપાથ પણ તૈયાર કરાશે. આ નિર્માણ કાર્ય ગત બે વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ કોરોનાકાળના કારણે કામ લંબાયું છે. જેને અગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા કામગીરીપૂરજોશમાં શરૂ કરાઈ છે.
બ્રીજ, રોડ અને સર્વિસ રોડ ઉપરાંત સ્‍માર્ટ સીટી યોજનામાં સેલવાસની સંપૂર્ણપણે કાયાપલટ થઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા માટે સ્‍માર્ટ સીટી સેલવાસની કાયાપલટ માટે પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્‍ત દમણ દોડશે

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીનું રી-ટ્‍વીટઃ સરાહનીય પ્રયાસ, શ્રેષ્‍ઠ પરિણામ..! પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં લક્ષદ્વીપ ખાતે ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ ‘ન્‍યુટ્રી ગાર્ડન’ની કરેલી સરાહના

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment