April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

દીવના ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધ હોવાની પણ ચર્ચાઃ માછીમારોએ ઉચ્‍ચ સ્‍તરે ફિશરીઝ અધિકારી વિરૂદ્ધ કરેલી અનેક ફરિયાદો છતાં સીબીઆઈ અધિકારીઓ ખાલી હાથે ગયા મતલબ..

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : દીવ ખાતે ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના ઘરે આજે દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સી.બી.આઈ.એ દરોડો પાડતાં સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન ઘટના બની હતી. દરોડા દરમિયાન સી.બી.આઈ.ની ટીમને કશું પણ વાંધાજનક નહીં મળ્‍યું હોવાનો દાવો ફિશરીઝ અધિકારી સુકર આંજણીએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સી.બી.આઈ.એ. ‘ખોદ્યો ડુંગર અને નિકળ્‍યો ઉંદર’ એવો ઘાટ થયો હોવાનું ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નજીકના વર્તુળો દ્વારા પણ ઠોકીને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ફિશરીઝ અધિકારી સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધો હોવાની વાતો પણ દીવના વર્તુળોમાં પ્રસરી રહી છે. સુકર આંજણીના વિરૂદ્ધ દીવના કેટલાક માછીમારોએ પણ અનેક ફરિયાદો ઉચ્‍ચ સ્‍તરે કરેલી હોવાની માહિતીઓ પણ વહેતી થઈ રહી છે. નજીકના ભૂતકાળમાં સી.બી.આઈ.ના એક અધિકારીએ તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોને મિટાવી દેવા માટે લાંચ પણ માંગી હતી. પરંતુ સુકર આંજણીએ લાંચ માંગનાર અધિકારીની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે કરી હતી.
દીવના ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નિવાસ સ્‍થાનેસી.બી.આઈ.ની પડેલી રેડથી ભ્રષ્‍ટ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસનનું ભ્રષ્‍ટાચાર વિરોધી દળ પણ કેટલાક અધિકારીઓ ઉપર ત્રાટકે એવા અણસાર પણ મળી રહ્યા છે.

Related posts

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના આદિવાસીઓના હિત અને રક્ષણ માટે પ્રશાસન કટિબદ્ધઃ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા

vartmanpravah

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

Leave a Comment