March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સમાજ કલ્‍યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્‍યસન સામેની લડાઈ અને ‘નશાને કહોના’ થીમ પર ચિત્ર સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
આ સ્‍પર્ધામાં, બાલ ભવનના વિદ્યાર્થીઓએ વ્‍યસન મુક્‍તિ માટે ‘નશાના વ્‍યસન સામે યુદ્ધ’ અને ‘ડ્રગ્‍સને કહો ના’ થીમ પર તેમના ચિત્રો દ્વારા પ્રસ્‍તુતિઓ કરી હતી. આ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોને નશાના વ્‍યસનથી રોકવાનો અને નશામુક્‍ત ભારત અભિયાન અંતર્ગત દમણના તમામ નાગરિકોને તેમનાથી માહિતગાર કરવાનો છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે દમણ બાલ ભવનના ડાયરેક્‍ટર શ્રી મનોજ ગોસ્‍વામીએ બાળકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સંદર્ભમાં નશા મુક્‍ત ભારત અભિયાન, દમણના નોડલ ઓફિસરશ્રીએ તમામ સ્‍પર્ધાઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે. આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણા પ્રદેશને ‘નશા મુક્‍ત’ બનાવવાનું છે. કાર્યક્રમના અંતે ચિત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ બાલ ભવન અને બાળ સુરક્ષા સમિતિની ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યોહતો.

Related posts

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

Leave a Comment