Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસીના પરિસરમાં આવેલી વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટના ગેરકાયદે શેડને હટાવવા સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાનહના સેલવાસ-નરોલી રોડ પર આવેલ એક પ્રાઈવેટ રેસ્‍ટોરન્‍ટ દ્વારા ગેરકાયદેસરશેડ બનાવેલ એને હટાવવા માટે નગરપાલિકાના ઉપ પ્રમુખે સ્‍વયં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસી પરિસરમાં વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટ આવેલ છે. આ રેસ્‍ટોરન્‍ટની સામે પાર્કિંગની કોઈપણ જગ્‍યા નથી અને આ રેસ્‍ટોરન્‍ટમાં ખાણીપીણી માટે આવતા ગ્રાહકો તથા ચીજવસ્‍તુઓના પાર્સલ લેવા આવનારાઓને બેસવા માટે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલ છે. જેના માટે નગરપાલિકામાંથી કોઈપણ જાતની પરમીશન પણ લેવામાં આવેલ નથી, જેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 મુજબ આ રેસ્‍ટોરન્‍ટ પરનો શેડ દૂર કરવામાં આવે. આ ઉપરાંત આ રસ્‍તા ઉપર ઘણી મિલકતો આવેલ છે જેના માટે નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.
ન.પા.ના ઉપપ્રમુખ શ્રી અજય દેસાઈએ જણાવ્‍યું છે કે, સાથે મારૂં એક નિવેદન છે કે સેલવાસ ‘સ્‍માર્ટ સીટી’ પ્રોજેક્‍ટ અંતર્ગત સમાન આકાર અને સમાન સ્‍તરના દુકાનોની સામે પાંચથી છ ફૂટ કેન્‍ટીલિવર શેડ બનાવવામાં આવે જેથી સગવડતાભર્યું તથા શોભનીય લાગે.
વધુમાં નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ ચીફ ઓફીસરને જણાવ્‍યું હતું કે પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર શેડ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એ સરાહનીય છે.અમે જે રજૂઆત કરી છે એ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ કરૂં છું.

Related posts

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

Leave a Comment