April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્‍સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્‍યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્‍ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્‍તારમાં ભાવભક્‍તિની સાથે હકારાત્‍મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્‍તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્‍ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.

Related posts

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment