March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોના શહિદ થયેલા ફાયર જવાનોને યાદ કરી એસડીપીઓ મનસ્‍વી જૈને આપેલી શ્રદ્ધાંજલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ખાતે અગ્નિશમન દિવસ નિમિત્તે આજથી અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દર વર્ષની જેમ આજરોજ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 10.00 કલાકે દિવ ફાયર સ્‍ટેશન ખાતે અગ્નિશમન દરમિયાન શહિદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
દીવ એસડીપીઓ મનસ્‍વી જૈનની અધ્‍યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોમાં ફાયર જવાનો શહિદ થઈ ગયા હતા. તે શહિદોની જાણકારી એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈને આપી હતી. સાથે સાથે ઉપસ્‍થિત દરેક જવાનોને અગ્નિશમન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, ફાયર ઓફિસર કિશોર પટેલ તથા ઉપસ્‍થિત તમામ જવાનોએ શહિદોને પુષ્‍પ અર્પણ, બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી શહિદોને યાદ કર્યા હતા. આજથી અગ્નિશમન સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાંઆવ્‍યો હતો અગ્નિશમન દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી

vartmanpravah

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

Leave a Comment