Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોના શહિદ થયેલા ફાયર જવાનોને યાદ કરી એસડીપીઓ મનસ્‍વી જૈને આપેલી શ્રદ્ધાંજલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ખાતે અગ્નિશમન દિવસ નિમિત્તે આજથી અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દર વર્ષની જેમ આજરોજ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 10.00 કલાકે દિવ ફાયર સ્‍ટેશન ખાતે અગ્નિશમન દરમિયાન શહિદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
દીવ એસડીપીઓ મનસ્‍વી જૈનની અધ્‍યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોમાં ફાયર જવાનો શહિદ થઈ ગયા હતા. તે શહિદોની જાણકારી એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈને આપી હતી. સાથે સાથે ઉપસ્‍થિત દરેક જવાનોને અગ્નિશમન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, ફાયર ઓફિસર કિશોર પટેલ તથા ઉપસ્‍થિત તમામ જવાનોએ શહિદોને પુષ્‍પ અર્પણ, બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી શહિદોને યાદ કર્યા હતા. આજથી અગ્નિશમન સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાંઆવ્‍યો હતો અગ્નિશમન દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Related posts

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

vartmanpravah

Leave a Comment