March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

પ્રિમોન્સુન કામગીરીમાં ઉતારેલી વેઠના કારણે સમસ્‍યાનો ભરમાર તેમજ પીવાના પાણી અને સ્‍ટ્રીટ લાઈટની ચર્ચા સાથે ગંદકીના સામ્રાજ્‍ય સહિતના સામે આવેલા મુદ્દા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામપાલિકાની સામાન્‍ય સભા આજરોજ પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલના અધ્‍યક્ષતા હેઠળ મળી હતી. સભામાં પાલિકાની નબળી કામગીરીના કારણે સર્જાયેલી સમસ્‍યા સામે શાસક અને વિપક્ષના સભ્‍યોએ બળાપો ઠાલવ્‍યો હતો. સરકારી અને પાલિકાની જમીન ઉપર થયેલા અતિક્રમણો હટાવવાના મુદ્દે ચર્ચા થવા પામી હતી. અને સરકારી જમીન ઉપર તાર કમ્‍પાઉન્‍ડ લગાવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું. પાલિકાના વહીવટમાં પારદર્શકતાનો અભાવ તેમજ પાલિકામાં કામ કરતા કોન્‍ટ્રાક્‍ટરો પાસે અગ્રણી સભ્‍યો દલાલી મેળવતા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્‍યો હતો.
ઉમરગામ પાલિકાની પ્રજાને અશુદ્ધ પાણી પીવાની ફરજ પડી રહી હોવાની તેમજ રસ્‍તાઓ ઉપરની બંધ પડેલી સ્‍ટ્રીટ લાઈટના કારણે ભારે સમસ્‍યા સર્જવા પામી હોવાનો મુદ્દો રજૂ થવા પામ્‍યો હતો. આ ઉપરાંત ઉમરગામ પાલિકામાં ગંદકીના ફેલાયેલા સામ્રાજ્‍ય સામે પાલિકા યોગ્‍ય કામગીરી કરવામાં સદંતર નિષ્‍ફળ છે. આ ઉપરાંત અંદાજિત રૂા.4 કરોડની ગ્રાન્‍ટ લેપ્‍સ થતાં પાલિકાના સભ્‍યોએ વહીવટ કરતા પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ કારોબારી અધ્‍યક્ષ સામે કામગીરીની કુશળતા તેમજ ઈચ્‍છા શક્‍તિ સામે સવાલ ઊભા કર્યા હતા.
આ ઉપરાંત મહેકમ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી જયશ્રીબેન અજયભાઈ માછીએ પાલિકાએ મહેકમની જગ્‍યા ભરવા માટે કરેલા ઠરાવ નંબર116/4 મુજબ 21 જગ્‍યાઓ ભરવાની હતી જેમાંથી 18 જગ્‍યા ભરાયેલી છે. જેથી બાકી રહેલી 3 જગ્‍યાઓ ભરવા માટે સૂચન કર્યું હતું.

Related posts

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

Leave a Comment