April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને ખરીદીમાં આઈએસઆઈ માર્કનું ધ્‍યાન રાખવા આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ કલેક્‍ટાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓનો ભારતીય માનક બ્‍યુરો અને તેના કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા આઈએસઆઈ સુરતના નિર્દેશક શ્રી એસ.કે.સિંઘે સમાજમાં ગુણવત્તાયુક્‍ત સામાનનો ઉપયોગ અને ખરીદી માટે આઈએસઆઈ માર્કને ધ્‍યાનમાં રાખવા જરૂરી જાણકારી આપી હતી. તેમણે સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને સરકારી ખરીદીમાં આઈએસઆઈ માર્ક વાળી વસ્‍તુઓના ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો અને તેના મહત્‍વને પણ સમજાવ્‍યું હતું. તેમણે બીઆઈએસ કેર એપ અને ભારતીય માનક બ્‍યુરોની વેબસાઈટની બાબતમાં પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે કાર્યક્રમની સમાપન વિધિ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ આટોપી હતી.

Related posts

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

Leave a Comment