Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને ખરીદીમાં આઈએસઆઈ માર્કનું ધ્‍યાન રાખવા આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ કલેક્‍ટાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓનો ભારતીય માનક બ્‍યુરો અને તેના કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા આઈએસઆઈ સુરતના નિર્દેશક શ્રી એસ.કે.સિંઘે સમાજમાં ગુણવત્તાયુક્‍ત સામાનનો ઉપયોગ અને ખરીદી માટે આઈએસઆઈ માર્કને ધ્‍યાનમાં રાખવા જરૂરી જાણકારી આપી હતી. તેમણે સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને સરકારી ખરીદીમાં આઈએસઆઈ માર્ક વાળી વસ્‍તુઓના ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો અને તેના મહત્‍વને પણ સમજાવ્‍યું હતું. તેમણે બીઆઈએસ કેર એપ અને ભારતીય માનક બ્‍યુરોની વેબસાઈટની બાબતમાં પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે કાર્યક્રમની સમાપન વિધિ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ આટોપી હતી.

Related posts

‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ સ્‍પર્ધા માટે સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે થયેલી પસંદગી

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

Leave a Comment