October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાના કૃષિ પ્રાયોગિક કેદ્ર, નવસારી કૃષિ યુનીવર્સીટી, પરીયા દ્વારા ‘આઇ. સી. એ. આર.- અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના -ફળ’ અંતર્ગત પારડી તાલુકાના ખૂંટેજ અને સેગવા ખાતે ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમનું આયોજન સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. સાગર જે. પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ આંબામા નુકશાન કરતી મુખ્‍ય જીવાત તરીકે ઓળખાતી ફળમાંખીનું સંકલિત નિયંત્રણનો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં સહ-સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. ચિરાગ આર. પટેલે સંસ્‍થાનો પરિચય તેમજ કેન્‍દ્ર ખાતે થતી વિવિધ કામગીરી વિશે સવિસ્‍તર માહિતી પૂરી પાડી હતી. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કિટકશાસ્‍ત્ર) ડો. સચિન એમ. ચવ્‍હાણે ફળમાખી જીવાતની ઓળખ, તેનું જીવનચક્ર, નુકશાન તેમજ સંકલિત વ્‍યવસ્‍થાપન વિશેના પગલાંઓની વિસ્‍તૃત જાણકારી આપવા ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલા અને ફળમાખી જીવાતના વ્‍યવસ્‍થાપન માટેની સફળ ટેકનોલોજી – ‘નૌરોજી સ્‍ટોનહાઉસ ફળમાખી ટ્રેપ’ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત દરેક ખેડૂતને ૧૦ ફળમાખી ટ્રેપનું વિતરણ કરી ટ્રેપ તૈયાર કરવા અને ખેતરમાં ગોઠવવા અંગે પદ્ધતિ નિદર્શનથી ખેડૂતોને માહિતગાર પણ કરવામાં આવ્‍યા હતા. આ બન્ને ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં ખેડૂતોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment